Thursday, May 22, 2025
Homenationalકેપ્ટન અભિનંદન વીરચક્રથી સન્માનિત: પાકિસ્તાનના F-16 ફાઈટર વિમાનને તોડી પાડવા બદલ મળ્યું...

કેપ્ટન અભિનંદન વીરચક્રથી સન્માનિત: પાકિસ્તાનના F-16 ફાઈટર વિમાનને તોડી પાડવા બદલ મળ્યું સન્માન

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...
spot_img

નવી દિલ્હી: પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનારા તત્કાલિન વિંગ કમાન્ડર (હાલ ગ્રુપ કેપ્ટન) અભિનંદન વર્ધમાનને આજે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં અનેક સૈનિકોને આજે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. 

અભિનંદને તોડ્યું હતું પાકિસ્તાનનું વિમાન
14 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે પુલવામામાં CRPF ના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. ભારતના આ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300થી વધુ આતંકીઓનો ખુડદો બોલાયો હતો.એરસ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં ઘૂસવાની કોશિશ કરી હતી પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ખદેડી મૂક્યા. તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તે સમયે Mig 21 ઉડાવી રહ્યા હતા. તેમણે તે વિમાનથી પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું. બાદમાં અભિનંદનનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થયું હતું. પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવ્યા હતા. પરંતુ ભારતના દબાણ હેઠળ પાકિસ્તાને લગભગ 60 કલાકમાં જ અભિનંદનને છોડી મૂક્યા હતા. અભિનંદને Mig 21 થી F-16 વિમાન તોડી પાડ્યું હતું. જેના દુનિયાભરમાં ખુબ વખાણ થયા હતા. કારણ કે F-16 ખુબ જ આધુનિક ફાઈટર વિમાન હતું. જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે Mig-21 વિમાન રશિયાએ બનાવેલું હતું અને 60 વર્ષ જૂનું વિમાન હતું. ભારતે 1970ના દાયકામાં રશિયા પાસેથી Mig-21 ખરીદ્યા હતા. 

આ જાંબાઝોને પણ કરાયા સન્માનિત
– આતંકીઓ વિરુદ્ધ અભિયાનમાં શહીદ થયેલા આર્મીના સૈપર પ્રકાશ જાધવને મરણોપરાંત કિર્તી ચક્રથી સન્માનિત કરાયા. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હાથે સન્માન ગ્રહણ કર્યું. 
– આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંઢિયાલને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા. આ ઓપરેશનમાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. શહીદ મેજર વિભૂતિના પત્ની અને માતાએ આ સન્માન લીધું. 
– શહીદ નાયાબ સૂબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશનમાં A++ કેટેગરીના આતંકીને ઠાર કર્યો હતો. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન ગ્રહણ કર્યું. 

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here