Tuesday, August 18, 2026
HomeAhmedabadમાતૃભાષા દિવસે ‘મનની મોજનીશી’ ના એક વર્ષની ઉજવણી: 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત...

માતૃભાષા દિવસે ‘મનની મોજનીશી’ ના એક વર્ષની ઉજવણી: 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ

Date:

Related stories

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

અમદાવાદ: ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત ‘પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ – કલાધામ’ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશી  દ્વારા આગામી 21 મી ફેબ્રુઆરી, 2026 ના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ ‘મનની મોજનીશી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે, જે આ આયોજનને વધુ ગૌરવપ્રદ બનાવે છે.

માર્ચ 2025 માં શરૂ થયેલી ‘મનની મોજનીશી’ શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહી છે. ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મણકો  છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું એક વર્ષ પૂર્ણ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જે સંસ્થા દ્વારા આ ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યો છે.

આ અંગે કલાત્મક અને સંગીત સંબંધી પાસાઓની ચર્ચા માટે પ્રખ્યાત કલાકારો આરતી મુનશી તથા  શ્યામલ અને સૌમિલ મુનશીએ માહિતી આપી હતી. તેમની સાથે પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી માલવભાઈ ટેકનિકલ અને CSR ફંડિંગ અંગેની માહિતી આપી. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ આ ઉમદા હેતુ માટે હોલ નિઃશુલ્ક ફાળવીને સહયોગ આપવામાં આવે છે.

 આ અનોખી શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ વધારવાનો અને વિસરાતા જતા સાહિત્યને પુનઃજીવિત કરવાનો છે. આ ઉપક્રમ અંતર્ગત દર મહિને જે સાહિત્યકારો કે કવિઓનો જન્મ અથવા નિર્વાણ થયો હોય, તેમની કૃતિઓનું ગાયન અને પઠન કરીને તેમને અનોખી સ્મરણ વંદના કરવામાં આવે છે.

આગામી 21મી ફેબ્રુઆરીનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ હોવાથી આ સાહિત્યિક શ્રેણીનો 12મો મણકો રજૂ થશે, જેની સાથે જ આ પ્રોજેક્ટનું એક વર્ષ પણ પૂર્ણ થશે. આ ભવ્ય ઉજવણી ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જ્યાં જાહેર જનતા માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે જેથી કવિઓ, કલાકારો અને સામાન્ય જનતા આ સાહિત્યિક વારસાનો લાભ લઈ શકે. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં નામાંકિત કલાકારો કોઈપણ વ્યાવસાયિક ફી લીધા વગર પોતાનું કલાત્મક યોગદાન આપે છે. આગામી વર્ષના મણકાઓના આયોજન માટે પ્રુડન્ટ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા તેમના સીએસઆર (CSR) ફંડ અંતર્ગત ઉદારતાપૂર્વક સહયોગ આપવામાં આવ્યો છે, જે આ સાહિત્યિક અભિયાનને સતત વેગવંતું રાખવામાં મહત્વનું યોગદાન આપશે.

કોઈપણ સંસ્કૃતિનો પાયો તેની ભાષામાં રહેલો હોય છે, અને ગુજરાતી ભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી પરંતુ આપણા ભવ્ય વારસા, સંસ્કારો અને અસ્મિતાનું પ્રતિબિંબ છે. વર્તમાન સમયમાં જ્યારે નવી પેઢી વૈશ્વિકરણના પ્રવાહમાં પોતાની મૂળ ભાષાથી દૂર થઈ રહી છે, ત્યારે ‘મનની મોજનીશી’ જેવા કાર્યક્રમો સમાજમાં એક નવી ચેતના જગાવવાનું કાર્ય કરે છે. સાહિત્યિક કૃતિઓના ગાયન અને પઠન દ્વારા યુવા પેઢીને માતૃભાષાના માધુર્ય અને શબ્દોની શક્તિથી પરિચિત કરાવવા એ સમયની માંગ છે. આ પ્રકારના આયોજનો સમાજમાં એવો સંદેશ વહેતો કરે છે કે જો આપણે આપણી ભાષાને સાચવીશું, તો જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જીવંત રહેશે. સાહિત્યના આ સમૃદ્ધ વારસાને જન-જન સુધી પહોંચાડીને ગુજરાતી ભાષા પ્રત્યે આદર અને ગૌરવની લાગણી જન્માવવી એ જ આ સમગ્ર અભિયાનનો મૂળભૂત મંત્ર છે.

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

પ્રત્યેક લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ,અને મહેશ ત્રણેયનો નિવાસ છે,અને એ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ. પ્રત્યેક...

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here