Monday, June 9, 2025
HomeGujaratકેબિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય, ગુજરાત બોર્ડ ધોરણ-12ની પરીક્ષા રદ

કેબિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય, ગુજરાત બોર્ડ ધોરણ-12ની પરીક્ષા રદ

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી

ગાંધીનગર: ગુજરાત બોર્ડે (Gujarat board) ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએકેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી હતી. જેથી ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે.ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ છે.ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરાતા હવે ટુંક સમયમાં માસ પ્રમોસશની પ્રક્રિયા કઇ રીતે હાથ ધરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર વિશેષ રજૂઆત કરશે. જોકે, હવે લાખો વિદ્યાર્થીઓ, શાળા અને વાલીઓની ચાંપતી નજર આ જાહેરાત પર જ રહેશે.નોંધનીય છે કે, હરિયાણામાં પણ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારે પણ પોતાની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દીધી છે. ટૂંક સમયમાં જ બાળકોને પાસ કેવી રીતે કરવા તેના ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવશે. રાજ્યમાં પહેલેથી જ 10મા ધોરણની પરીક્ષા રદ થઈ ચુકી છે.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here