
દિલ્હીની હવાની ગુણવત્તા સુધારવા માટે, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને (CAQM) રાજધાનીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, 1 નવેમ્બરથી પ્રદૂષણ ફેલાવતા કોમર્શિયલ વાહનોના દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે કમિશને એ પણ સ્પષ્ટતા કરી છે કે, દિલ્હીમાં માત્ર BS-6, CNG, LNG અને ઈલેક્ટ્રિક માલવાહક વાહનોને જ પ્રવેશની મંજૂરી મળશે. ભારત સ્ટેજ 4 (BS-4) એન્જિન ધરાવતા કોમર્શિયલ વાહનો 31 ઑક્ટોબર, 2026 સુધી દિલ્હીમાં પ્રવેશી શકશે. આ છૂટછાટ માત્ર BS-4 કોમર્શિયલ વાહનો માટે જ છે, ખાનગી વાહનો માટે નહીં.
દિલ્હીના પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને, CAQMની બેઠકમાં 17 ઑક્ટોબરે નિર્ણય લેવામાં આવ્યો કે, 1 નવેમ્બરથી પ્રદૂષણ ફેલાવતા કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર વ્યાપક પ્રતિબંધ મૂકવાની મંજૂરી અપાઈ. જોકે, પરિવહન વિભાગની નોટિસ મુજબ, સંક્રમણકાલીન ઉપાય તરીકે BS-IV કોમર્શિયલ માલવાહક વાહનોને 31 ઑક્ટોબર, 2026 સુધી દિલ્હીમાં પ્રવેશવાની છૂટ અપાઈ છે.


