Wednesday, March 12, 2025
HomeGujaratIIM અને UPSC કરવાના ખ્વાબ જોતા વિદ્યાર્થીએ 9 મા માળથી કૂદીને આપઘાત...

IIM અને UPSC કરવાના ખ્વાબ જોતા વિદ્યાર્થીએ 9 મા માળથી કૂદીને આપઘાત કર્યો

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...
spot_img

બુધવારે બપોરે 2 વાગ્યે આયુષની ઓનલાઈન પરીક્ષા હતી. પરંતુ તે પહેલા સવારે 10 વાગ્યે તેણે 9 મા માળની ગેલેરીમાંથી નીચે કૂદકો માર્યો

વડોદરા: કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ મૂંઝવાયા છે. આવામાં વડોદરા માં એક વિદ્યાર્થીના આત્મહત્યા નો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન એક્ઝામના ચાર કલાક પહેલા જ 19 વર્ષના વિદ્યાર્થીએ 9 મા માળેથી કૂદકો મારીને મોત વ્હાલુ કર્યું છે. ત્યારે પુત્રને ગુમાવ્યાની જાણ થતા જ માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ બુધવારનો છે. રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રિજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. આ પરિવાર ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ભદ્રલોક ફ્લેટના 9 મા માળે રહે છે. તેમનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં કોરોનાના કારણે તે વડોદરામાં ઘરે આવ્યો હતો. તેનો ઓનલાઇન અભ્યાસ ચાલુ હતો. બુધવારે બપોરે 2 વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. પરંતુ તે પહેલા સવારે 10 વાગ્યે તેણે 9 મા માળની ગેલેરીમાંથી નીચે કૂદકો માર્યો હતો. આટલે ઊંચેથી પટકાતા જ આયુષનું મોત નિપજ્યું હતું.  આયુષે કેમ આવુ પગલુ ભર્યું તે જાણવા મળ્યું નથી. કારણ કે, તેના રૂમમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી. તેથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. IIM અને UPSC કરવાના ખ્વાબ જોતા આયુષે કેમ આવુ પગલુ ભર્યું તે મામલે પરિવાર પણ અજાણ છે. સિક્યુરિટી ગાર્ડે ઘટનાથી વાકેફ કરતા પરિવારના હોશ ઉડી ગયા હતા. તેઓ રડતા રડતા નીચે દોડી આવ્યા હતા. પોતાના વ્હાલસોયા દીકરાની આવી હાલત જોઈને માતાપિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. 

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here