Monday, February 24, 2025
Homenationalઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી 'નેતાજી' મુલાયમ સિંહ યાદવનું નિધન

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ‘નેતાજી’ મુલાયમ સિંહ યાદવનું નિધન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના સ્થાપક અને દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 83 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમને અનેક બીમારીઓ હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. આ દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું હતું કે, મુલાયમસિંહ યાદવની કિડનીમાં ઈન્ફેક્શન છે અને તેમનું ક્રિએટનિન લેવલ વારંવાર ખોરવાઈ રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી મુલાયમસિંહ યાદવ ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ હતા અને તેઓ લાઈફ સેવિંગ ડ્રગ્સ પર હતા. તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. ડોકટરોની વિશેષ ટીમ તેમના પર નજર રાખી રહી હતી.  શનિવારે પૂર્વ સીએમ અખિલેશ યાદવ પિતાની તબિયત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના નિધનથી દેશભરમાં તેમના સમર્થકો અને રાજકીય-સામાજિક કાર્યકર્તાઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મુલાયમ સિંહ યાદવના નિધનને રાજકારણની સૌથી મોટી ક્ષતિ ગણી શકાય છે. મુલાયમ સિંહ યાદવના પુત્ર અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક ટ્વિટ દ્વારા નેતાજીના મૃત્યુની પુષ્ટિ કરી છે. અખિલેશે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું- મારા આદરણીય પિતાજી હવે નથી રહ્યા. મુલાયમ સિંહના નિધન પર પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ લખ્યું કે, મુલાયમ સિંહ યાદવ જમીન સાથે જોડાયેલા નેતા હતા.  છેલ્લા ઘણા દિવસોથી મુલાયમ સિંહના સ્વાસ્થ્યને લઈને દેશભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત દેશની તમામ રાજકીય હસ્તીઓ તેમના સ્વાસ્થ્યની ખબર લઈ રહી હતી. મુલાયમ સિંહ યાદવ 22 ઓગસ્ટથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. મુલાયમ 1967માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ 8 વખત ધારાસભ્ય અને 7 વખત સાંસદ રહી ચૂકયા હતા. તેઓ યુપીના ત્રણ વખત મુખ્યમંત્રી અને બે વખત કેન્દ્રમાં મંત્રી રરી ચૂક્યા હતા. દેશના સંરક્ષણ પ્રધાન તરીકે મુલાયમ સિંહ યાદવે સરહદ પર જઈને સેનાના દિલ જીતી લીધા હતા. 

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here