પતિ પત્ની ગણેશ ચતુર્થીએ સાથે જોવા મળ્યા અને તહેવાર મનાવતા નજરે પડ્યા હતા. સાથે જ પત્ની સુનિતાએ ગણેશ ચતુર્થીની લોકોને શુભકામનાઓ આપી હતી.

ગોવિંદા અને તેમના પત્ની સુનિતા આહુજાના છૂટાછેડાની અફવાનો હવે અંત આવ્યો છે. આજે બંન્નેએ તેમના ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી. બંન્ને સાથે જોવા મળ્યા અને તેમના લગ્નજીવનમાં કોઈ તકલીફ નથી તે વાત આજે તેમણે સાબિત કરી. જોકે આ અગાઉ ગોવિંદાની દીકરી ટીના આહુજાએ પણ આ વાતે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અફવા પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. આજે મીડિયા સામે સુનિતા આહુજાએ તેમના છૂટાછેડાની અફવાનો અંત લાવી દીધો છે.સમગ્ર મામલે સુનિતાએ મીડિયાને કહ્યું જો કશું હોત તો અમે આટલા નજીક કેમ ના હોતા. અમારા સંબંધને કશું નથી થયું. સાથે જ સુનિતાએ કહ્યું કે ભગવાન આવે કે શેતાન આવે અમને કોઈ અલગ ન કરી શકે. તેણે એવું પણ કહ્યું કે મેરા પતિ સિર્ફ મેરા હૈ ફિલ્મ હતી તેમ મારો ગોવિંદા પણ માત્ર મારો છે. મીડિયાને એવું પણ કહ્યું જ્યાં સુધી અમે કશું ના બોલીએ તમે પણ કશું ન બોલશો.સુનિતાએ વધુમાં એવું કહ્યું કે હું ઈચ્છું છું કે બધા ગણેશજીનો તહેવાર મનાવે ગણપતિ આપણા પ્રથમ દેવતા છે. તેમના આશીર્વાદથી જ દરેક નવું કાર્ય શરૂ થતું હોય છે. જેથી બધા લોકો આનંદમાં રહો અને ગણપતિનો તહેવાર મનાવો. આ સાથે જ સુનિતાએ લોકોને એવી પણ સલાહ આપી કે મોદક ઓછા ખાઓ તેનાથી વજન વધી જાય છે.


