Friday, April 18, 2025
HomeSportsભારત-શ્રીલંકા સિરીઝ: 13 જુલાઈથી શરૂ થનારી વનડે સિરીઝ હવે 17 જુલાઈથી શરૂ...

ભારત-શ્રીલંકા સિરીઝ: 13 જુલાઈથી શરૂ થનારી વનડે સિરીઝ હવે 17 જુલાઈથી શરૂ થશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે થનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ હવે પહેલાંથી નિર્ધારિત શિડ્યૂલ (13 જુલાઈ)થી શરૂ નહીં થાય. શ્રીલંકાની ટીમના બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન પોઝિટિવ આવ્યા છે. એ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ શ્રીલંકાએ આ સિરીઝને થોડા દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવે છે કે આ સિરીઝ હવે 17 જુલાઈથી શરૂ થઈ શકે છે.પહેલા શિડ્યૂલ મુજબ, વનડે સિરીઝની પહેલી મેચ 13 જુલાઈ, બીજી 16 જુલાઈ અને ત્રીજી વનડે 18 જુલાઈએ રમાવાની હતી, જે બાદ ટી-20 સિરીઝ રમાવાની હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC)એ હવે BCCIની સામે 17,19 અને 21 જુલાઈના રોજ 3 મેચ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો ટી-20 ટૂર્નામેન્ટ 24,25 અને 27 જુલાઈના રોજ રમાઈ શકે છે. આ અંગે BCCI નિર્ણય કરશે.શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.આ વચ્ચે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના વધુ એક વખત RT-PCR ટેસ્ટ થશે. એનાં પરિણામ આવ્યાં બાદ જ નિર્ણય લેવાશે કે ભારત વિરુદ્ધ સિરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે.કોરોનાની આ સ્થિતિને જોતાં શ્રીલંકાના બોર્ડે પહેલાંથી વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ખેલાડીઓનાં વધુ બે અલગ-અલગ જૂથ બાયો બબલમાં રાખવામાં આવ્યાં છે. એક ગ્રુપ કોલંબોમાં અને બીજો દાંબુલામાં હાજર છે. જરૂર પડશે તો આ ગ્રુપમાં હાજર ખેલાડીઓને ભારત વિરુદ્ધ સિરીઝમાં ઉતારવામાં આવી શકે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here