Sunday, February 23, 2025
HomeSportsCricketત્રીજી વનડેમાં 119 રનથી ભારતે જીત મેળવી, વેસ્ટઇન્ડિઝને 39 વર્ષમાં પહેલી વખત...

ત્રીજી વનડેમાં 119 રનથી ભારતે જીત મેળવી, વેસ્ટઇન્ડિઝને 39 વર્ષમાં પહેલી વખત તેના જ ઘરમાં ક્લિન સ્વિપ કરીને સિરિઝ કબ્જે કરી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઑફ સ્પેન ખાતે રમાયેલા સિરિઝના ત્રીજા અને આખરી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 119 (ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે) રનથી હરાવીને 3-0થી ક્લિન સ્વિપ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 39 વર્ષથી વેસ્ટઇન્ડિઝમાં વનડે સિરિઝ રમી રહ્યુ છે, અને પ્રથમ વખત વેસ્ટઇન્ડિઝને તેની જ ધરતી પર ક્લિન સ્વિપ કરીને સિરિઝ કબ્જે કરી લીધી છે. ત્રીજા વનડે મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 36 ઓવર જ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 36 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 225 રન કર્યા હતા. શુભમન ગિલ 98 રને નોટઆઉટ રહ્યો હતો. ધવને 58 રન કર્યા. જ્યારે શ્રેયસ અય્યરે 44 અને સૂર્યકુમાર યાદવે 8 રન કર્યા હતા. સેમસન 6 રને નોટઆઉટ રહ્યો હતો. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટઇન્ડિઝને 35 ઓવરમાં 257 રન ચેઝ કરવાના હતા. પરંતુ કેરેબિયન ટીમ 26 ઓવરમાં 137 રનમાં જ ખખડી ગઈ હતી. બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરને 42-42 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ યુઝવેંદ્ર ચહલે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. તો અક્ષર પટેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને 1-1 વિકેટ મળી હતી.ત્રીજી વનડેમાં 98 રનની શાનદાર ઇનિંગ માટે શુભમન ગિલને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. તેણે 98 બોલમાં 98 રન કર્યા હતા. તેની આ ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. તો પૂરી સિરિઝમાં દમદાર પ્રદર્શન કરવા બદલ તેને પ્લેયર ઑફ ધ સિરિઝ પણ બનાવવામાં આવ્યો હતો. તેણે 3 મેચમાં કુલ 205 રન ફટકાર્યા હતા.શિખર ધવને સિરિઝની બીજી અને પોતાના કરિયરની 37મી અર્ધસદી ફટકારી હતી. તે 58 રને આઉટ થયો હતો. તો શુભમન ગિલે પણ શાનદાર ફિફ્ટી મારી હતી. તેણે પોતાના કરિયરની બીજી ફિફ્ટી મારી હતીબન્ને ઓપનરો વચ્ચે 138 બોલમાં 113 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીમાં ધવનનું 58 રનનું યોગદાન છે, જ્યારે ગિલનું 51 રનનું યોગદાન છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here