Wednesday, March 11, 2026
HomeAhmedabadકેજરીવાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ: કોરોના થયા પછી કહ્યું- મારા સંપર્કમાં આવેલા ટેસ્ટ...

કેજરીવાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ: કોરોના થયા પછી કહ્યું- મારા સંપર્કમાં આવેલા ટેસ્ટ કરાવી લો

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પોતાના ટ્વીટમાં કેજરીવાલે લખ્યું છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમણે તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટ્વીટ બાદ તેમને ટ્વિટર પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. પંજાબ-ચંદીગઢમાં થોડા દિવસ પહેલાં યોજાયેલી રેલીની તસવીરો શેર કરતાં લોકો કેજરીવાલને ટ્રોલ કરી રહ્યા છે.ટ્વિટર પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે એ એક-બે દિવસ પહેલાં ચંદીગઢમાં CM કેજરીવાલની રેલીની છે. એમાં તેઓ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા છે. લોકો એ લખીને આનંદ માણી રહ્યા છે કે મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ, પરંતુ તસવીરોમાં જોવામાં આવે તો મુખ્યમંત્રી હજારોની ભીડની વચ્ચે માસ્ક વગર જોવા મળે છે.અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. તેઓ 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.31 ડિસેમ્બરે સીએમ અરવિંદ કેજરીવાલ પંજાબના પટિયાલામાં શાંતિ માર્ચમાં જોડાયા હતા. આ દરમિયાન પણ તેમણે માસ્ક પહેરેલું નહોતું. તેમની આસપાસ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાં એક-બે સિવાયના કોઈના ચહેરા પર માસ્ક નથી

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here