
ખરતા વાળની સમસ્યા સાધારણ છે. રોજ થોડા થોડા વાળ સૌના ખરે છે પરંતુ વાત જ્યારે મહિલાઓની આવે તો મહિલાઓને ડિલીવરી પછી હેર ફોલની સમસ્યા સૌથી વધુ નડે છે. ડિલીવરી પછી હેરફોલ અસાધારણ રીતે વધી જાય છે. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. ડિલીવરી પછી સ્ત્રીને હેલ્ધી અને પોષણયુક્ત વસ્તુઓ ખવડાવવામાં પણ આવે છે જેથી તેના શરીરની રીકવરી ઝડપથી થઈ શકે પરંતુ તેમ છતાં વળા વધારે પ્રમાણમાં ખરે છે.નવી નવી માતા બની હોય તે સ્ત્રીઓ પોસ્ટ પાર્ટમ હેર ફોલ વિશે ચર્ચા કરતી હોય છે. આવું થવાના ખાસ કારણો હોય છે. જેમાં સૌથી મોટું કારણ હોય છે માતા બન્યા પછી શરીરમાં થયેલા હોર્મોનલ પરિવર્તન. હોર્મોન્સ ચેન્જ થવાના કારણે વાળ ખરવા લાગે છે. ઘણીવાર તો સ્ત્રીના વાળ એટલા ખરી જાય કે આછા થઈ જાય કે રીતસર માથામાં ટાલ દેખાવા લાગે.પ્રેગ્નેંસી દરમિયાન પણ મહિલાના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. આ અવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરના બધા હોર્મોન્સ પીક પર હોય છે. મહિલાઓના શરીરમાં મુખ્ય હોર્મોન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોય છે જે સ્કિન પર ચમક અને વાળને મજબૂતી આપે છે. પરંતુ આ હોર્મોન્સ પ્રેગ્નેંસી પછી ઓછા થઈ જાય છે. જેના કારણે સ્કિન અને વાળ બંને ખરાબ થવા લાગે છેજ્યારે ડિલીવરી થઈ જાય છે ત્યારે પણ બધા જ હોર્મોન્સનું લેવલ ઘટી જાય છે. તેનાથી સ્કિન અને વાળની ગુણવત્તા ખરાબ થઈ જાય છે. અને વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે.ડિલીવરી પછી માં એ પોતાનું ખાસ ધ્યાન રાખવું. વાળની સમસ્યાને ઠીક કરવા માટે આયુર્વેદિક તેલોનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી વાળમાં બ્લડ સર્કુલેશન વધે છે અને વાળ તુટતા નથી. આ સિવાય હેરવોશની રીત પણ બદલો. ડિલીવરી પછી સલ્ફેટ ફ્રી અને પેરાબેન ફ્રી શેમ્પૂ યુઝ કરો. આંમળા પણ વાળ માટે ફાયદાકારક છે. તેનું તેલ લગાડવાથી વાળ ખરતા અટકી શકે છે.


