Sunday, March 16, 2025
HomeGujaratAhmedabadકોરોનામાં શાળા-કોલેજો બંધ થતાં રાજ્યમાં 75%થી વધુ પેઇંગ ગેસ્ટ બંધ

કોરોનામાં શાળા-કોલેજો બંધ થતાં રાજ્યમાં 75%થી વધુ પેઇંગ ગેસ્ટ બંધ

Date:

spot_img

Related stories

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...
spot_img

અમદાવાદ : કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજ બંધ હોવાથી પીજી-સંચાલકો માટે વિદ્યાર્થીઓ આધારિત ઘંધો પડીભાંગ્યો છે. એક વર્ષથી વધુ સમય થવા આવ્યો, જેથી પીજીના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો માટે રોજનો ખર્ચ કેમ કાઢવો એ મોટો સવાલ ઊભો થયો છે. અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં પીજી સેન્ટરમાં 20થી 25 ટકા સેન્ટર ચાલી રહ્યાં છે, એ માત્ર નોકરિયાત વર્ગ પર આધારિત છે. એવામાં જો કોલેજો શરૂ થાય તોપણ હાલની કોરોનાની સ્થિતિને જોતાં ફરી બેઠા થવામાં સમય લાગશે, એમ પીજી-સંચાલકો માની રહ્યા છે.અમદાવાદમાં પીજી સેન્ટર ચલાવતા યશ શાહનું કહેવું છે કે અમદાવાદમાં અંદાજે 3 હજારથી વધુ પીજી સેન્ટર છે, જેમાંથી મોટા ભાગના સંચાલકોનો ધંધા બંધ છે. તેમને મહિને રૂ. 60 હજારથી લઇને 2 લાાખથી વધુનું નુકસાન થઇ રહ્યું છે. પીજી-સંચાલકો ફ્લેટ, બંગલો કે અમુક કિસ્સામાં બિલ્ડિંગ ભાડે લઈને પેઇંગ ગેસ્ટ સર્વિસ ચલાવતા હોય છે. જે-તે વિસ્તાર પ્રમાણે રૂ. 30 હજારથી લઇ 70 હજારથી વધુનું ભાડુ હોય છે. આ સિવાય પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિગનો જાળવણી ખર્ચ ભોગવવો પડતો હોય છે. વળી, જે વિદ્યાર્થી પોતાના ઘરે ગયા છે એ પૈકી કેટલાકનું ભાડું નથી મળ્યું, જેથી મોટું નુકસાન થયું છે.અંદાજે 70 ટકા સંચાલકોએ મકાન ખાલી કરી દીધા છે અને સ્થિતિ ક્યારે સામાન્ય બને એની રાહ જોઇ રહ્યા છે. કેટલાક સંચાલકોએ હાલપૂરતું વિદ્યાર્થીઓ ન હોવાથી મકાન ખાલી કરી દીધા છે. તો કેટલાક લોકો અન્ય ધંધા તરફ વળ્યા છે અને શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે, કોઇકે બ્રોકર તરીકે, તો કોઇકે કરિયાણાની દુકાન શરૂ કરી છે. અમદાવાદમાં અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ શહેર કે જિલ્લામાંથી આવીને અભ્યાસ કરે છે.

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here