Wednesday, March 12, 2025
HomeEntertainmentBollywoodMumbai Drugs Case: ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી...

Mumbai Drugs Case: ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...
spot_img

મુંબઈ: મુંબઈ ડ્રગ્સ કેસ મામલે ધરપકડ કરવામાં આવેલા આર્યન ખાન સહિત સાત આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી થશે. મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી અરજી રદ કરી નાખવામાં આવ્યા બાદ ખાસ અદાલતમાં આ અરજી પર સુનાવણી થશે. મેજિસ્ટ્રેટ કોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રમાં ન હોવાનું કહીને અરજી રદ કરી દીધી હતી. આ ઉપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોઆર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે તપાસ એજન્સીને આ કેસમાં નવા પુરાવા મળ્યા છે.

ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, એજન્સીને નવી જાણકારી હાથ લાગી છે. NCB તરફથી આરોપીઓની પૂછપરછમાં સામે આવેલી વિગતો પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. એનસીબીએ દાવો કર્યો હતો કે ક્રૂઝ પરર હાજર અમુક લોકો પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ મળ્યું હતું. તપાસ અજેન્સીએ આંતરરાષ્ટ્રીય રેકેટના સંકેત આપ્યા હતા અને તપાસ જરૂરી હોવાની વાત કરી હતી.બીજી તરફ આર્યનના વકીલ સતીશ માનશિંદે સતત એવું કહી રહ્યા છે કે આર્યનને ફસાવવામાં આવ્યો છે. તેની પાસેથી કોઈ જ નશીલો પદાર્થ નથી મળ્યો. આથી એનસીબીએ તેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અધિકાર નથી. મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ તરફથી કોર્ટમાં પહોંચેલા વરિષ્ઠ વકીલ તારક સૈયદે કહ્યુ કે, જ્યારે આરોપીઓ આખું જહાજ ખરીદી શકે છે તો તેઓ ત્યાં પાંચ ગ્રામ ચરસ વેચવા શા માટે જાય?એનસીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો તેમની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. બીજી તરફ સરકાર તરફથી વાનખેડે પર નજર રાખવામાં આવી રહી હોવાની વાતનો ઇન્કાર કરવામાં આવ્યો છે. વાનખેડેએ ત્રીજી ઓક્ટોબરના રોજ ક્રૂઝ શિપ પર થયેલા દરોડાંની આગેવાની કરી હતી.

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here