Tuesday, June 17, 2025
HomeEntertainmentBollywoodMumbai Drugs Case: ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી...

Mumbai Drugs Case: ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી

Date:

spot_img

Related stories

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...

અમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત...

અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો આઈપીઓ બુધવાર, 18...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” or “The Company”) બુધવાર, 18...
spot_img

મુંબઈ: મુંબઈ ડ્રગ્સ કેસ મામલે ધરપકડ કરવામાં આવેલા આર્યન ખાન સહિત સાત આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી થશે. મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી અરજી રદ કરી નાખવામાં આવ્યા બાદ ખાસ અદાલતમાં આ અરજી પર સુનાવણી થશે. મેજિસ્ટ્રેટ કોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રમાં ન હોવાનું કહીને અરજી રદ કરી દીધી હતી. આ ઉપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોઆર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે તપાસ એજન્સીને આ કેસમાં નવા પુરાવા મળ્યા છે.

ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, એજન્સીને નવી જાણકારી હાથ લાગી છે. NCB તરફથી આરોપીઓની પૂછપરછમાં સામે આવેલી વિગતો પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. એનસીબીએ દાવો કર્યો હતો કે ક્રૂઝ પરર હાજર અમુક લોકો પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ મળ્યું હતું. તપાસ અજેન્સીએ આંતરરાષ્ટ્રીય રેકેટના સંકેત આપ્યા હતા અને તપાસ જરૂરી હોવાની વાત કરી હતી.બીજી તરફ આર્યનના વકીલ સતીશ માનશિંદે સતત એવું કહી રહ્યા છે કે આર્યનને ફસાવવામાં આવ્યો છે. તેની પાસેથી કોઈ જ નશીલો પદાર્થ નથી મળ્યો. આથી એનસીબીએ તેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અધિકાર નથી. મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ તરફથી કોર્ટમાં પહોંચેલા વરિષ્ઠ વકીલ તારક સૈયદે કહ્યુ કે, જ્યારે આરોપીઓ આખું જહાજ ખરીદી શકે છે તો તેઓ ત્યાં પાંચ ગ્રામ ચરસ વેચવા શા માટે જાય?એનસીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો તેમની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. બીજી તરફ સરકાર તરફથી વાનખેડે પર નજર રાખવામાં આવી રહી હોવાની વાતનો ઇન્કાર કરવામાં આવ્યો છે. વાનખેડેએ ત્રીજી ઓક્ટોબરના રોજ ક્રૂઝ શિપ પર થયેલા દરોડાંની આગેવાની કરી હતી.

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે...

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025...

ક્લબ મહિન્દ્રા મસૂરીઃ જ્યાં આરામને મળે છે ટેકરીઓની સુંદરતા

પહાડોની રાણી તરીકે ઓળખાતા મસૂરીની સુંદર ટેકરીઓમાં વસેલો ક્લબ...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...

અમદાવાદ ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા પ્લેન ક્રેશ નાં દિવંગત...

અમદાવાદ ગાયત્રી પરિવાર મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો આઈપીઓ બુધવાર, 18...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” or “The Company”) બુધવાર, 18...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here