Saturday, February 1, 2025
HomeGujaratPM નરેન્દ્ર મોદીની મુલાકાતના 24 કલાકમાં જ ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું

PM નરેન્દ્ર મોદીની મુલાકાતના 24 કલાકમાં જ ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું

Date:

spot_img

Related stories

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...
spot_img

ગુજરાતના વતની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના માત્ર 24 કલાકમાં જ ગુજરાત ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોને તાબડતોબ દિલ્હીનું તેડું આવતા ભાજપમાં અનેક તર્ક વિતર્ક તથા ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ એકાએક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના પ્રદેશ હોદ્દેદારોને તાત્કાલિક દિલ્હી આવી જવા ફરમાન કર્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની ગઈકાલની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાને આણંદ અને કચ્છના કાર્યક્રમમાં પાંખી જનમેદની અને સ્થાનિક આગેવાનો સાથે કરેલી ચર્ચાઓના અનુસંધાને ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી બોલાવ્યા હોવા જોઈએ.

સંગઠન અને સરકારની ત્રુટીઓ દૂર કરવા આપશે સૂચનાઓ

લોકસભા 2019ની ચૂંટણીમાં ફરીએકવાર ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવવાના લક્ષ્યાંક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નરેન્દ્ર મોદીની વધતી જતી ગુજરાતની મુલાકાતો ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન દ્વારા સંગઠન અને સરકારમાં રહી ગયેલી ત્રુટીઓ દૂર કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ ગુજરાત ભાજપના નેતાઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.

મુખ્યમંત્રીથી લઈ કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ બેઠકમાં રહેશે હાજર

આજે દિલ્હીમાં અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠક માટે તેડું આવતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડનગર કારોબારી છોડીને દિલ્હી જવા રવાના થયા હતા. જ્યાં વાઘાણીના વડપણ હેઠળ અમિતશાહ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભીખુભાઈ દલસાણીયા, મનસુખ માંડવીયા, આઈ.કે.જાડેજા, ગણપત વસાવા, ભરતસિંહ પરમાર, જીતુ વાઘાણી સહિત કમિટીના સદસ્યો ઉપસ્થિત રહેશે.

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here