
પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરથી હજારો પરિવારો અસરગ્રસ્ત થયા છે. લોકો પાસે હવે ન તો ખોરાક છે, ન તો રહેઠાણ અને ન તો જરૂરી દવાઓ ઉપલબ્ધ છે. આ સંકટની ઘડીમાં, IPL ટીમ પંજાબ કિંગ્સએ કેટ્ટો Ketto.org અને ગ્લોબલ શીખ ચેરિટી સાથે ભાગીદારી કરીને એક વિશેષ ફંડરેઇઝર અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવી — જેમાં ખોરાક, દવાઓ, તાત્કાલિક રહેઠાણ અને પુનઃનિર્માણ માટે જરૂરી સાધનોનો સમાવેશ થાય છે. આ ફંડરેઇઝર દ્વારા, પંજાબ કિંગ્સ, કેટ્ટો અને ગ્લોબલ સીખ ચેરિટી ભારત અને વિશ્વભરના લોકોને પંજાબની મદદ માટે આગળ આવવાની અપીલ કરે છે. ફંડરેઇઝરનો હેતુ છે અસરગ્રસ્ત પરિવારોને જરૂરી વસ્તુઓ — જેમ કે ખોરાક, તબીબી સહાય, રહેઠાણ અને અન્ય પુનઃનિર્માણ સાધનો — ઉપલબ્ધ કરાવવી. કેટ્ટો ના CEO અને સહ-સ્થાપક વરુણ શેઠે જણાવ્યું: “કેટ્ટોમાં અમારું માનવું છે કે સામૂહિક કરુણા દ્વારા મોટી-મોટી આપત્તિઓનો સામનો કરી શકાય છે. પંજાબ કિંગ્સ અને ગ્લોબલ સીખ ચેરિટી સાથે મળીને આ પહેલ માત્ર ફંડ એકત્રિત કરવાની નથી — આ જીવન પુનઃસ્થાપિત કરવાની, માનવતા પાછી લાવવાની અને એકતાની શક્તિને દર્શાવવાની કોશિશ છે.”
આ અભિયાન એકતાનું પ્રતિક છે — એક એવો અવસર જ્યાં દરેક યોગદાન અસરગ્રસ્ત પરિવારો માટે જીવનરેખા બની શકે છે. પંજાબ કિંગ્સ, ગ્લોબલ સીખ ચેરિટી અને કેટ્ટોની સહાયથી, દરેક દાન સાચા જરૂરિયાતમંદ સુધી પહોંચશે


