Wednesday, March 11, 2026
HomeGujaratરાજસ્થાનઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

રાજસ્થાનઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

રાજસ્થાનમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકારે કડક નિર્ણય કર્યો છે. આ વર્ષે પણ કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની આતશબાજી કરવા તેમજ ફટાકડાના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના ગૃહ વિભાગે આ અંગે આદેશ જાહેર કર્યો છે. 

ગૃહ વિભાગના મુખ્ય સચિવ અભય કુમારે આદેશ જાહેર કરતા જણાવ્યું છે કે, રાજસ્થાનમાં 1લી ઓક્ટોબર 2021થી 31 જાન્યુઆરી 2022 સુધી તમામ પ્રકારની આતશબાજી કરવા તેમજ ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આના માટે કોરોનાનું સંભવિત જોખમ કારણભૂત ગણાવવામાં આવે છે. આતશબાજીથી વાયુ પ્રદૂષણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. જેને પગલે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ ઉપરાંત કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં પણ પોસ્ટ કોરોના સંલગ્ન તકલીફો વધવાનો ખતરો રહે છે. આ માટે ફટાકડાના વેચાણ માટે અસ્થાયી લાયસન્સ ઈશ્યૂ કરવા સામે પણ રોક લગાવવામાં આવી છે. ફટકાડાના વેપારીઓએ સરકાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ફટાકડાના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓના મતે જો સરકારને આતશબાજી પર લાગ લગાવવી હતી તો અસ્થાયી લાયસન્સ માટે પહેલા આવેદનો શા માટે મંગાવવામાં આવ્યા? આવેદનો મંગાવવામાં આવતા વેપારીઓએ એડવાન્સ પેમેન્ટ કરીને ફટાકડા ખરીદી લીધા છે. હવે સરકારે આતશબાજી પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે જેનાથી વેપારીઓને નુકાસન થશે. સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે ગત વર્ષે પણ કોરોના સંક્રમણને લીધે ફટાકડાના વેચાણ તેમજ આતશબાજી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.     

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here