Saturday, April 26, 2025
HomeWorld'10 બંધક છોડો, બદલામાં 1 દિવસનું યુદ્ધવિરામ', ડીલ થયા બાદ નેતન્યાહૂએ હમાસને...

’10 બંધક છોડો, બદલામાં 1 દિવસનું યુદ્ધવિરામ’, ડીલ થયા બાદ નેતન્યાહૂએ હમાસને કરી વધુ એક ઓફર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img
જેરુસલેમ : ઈઝરાયલ અને ગાઝા પટ્ટી વચ્ચે સીઝફાયર અંગે સહમતિ સધાઈ ચૂકી છે. આ સીઝફાયરના બદલામાં હમાસ દ્વારા ઈઝરાયલના બંધક બનાવાયેલા 50 લોકોને મુક્ત કરવામાં આવશે. જોકે ઈઝરાયલે કેદ કરી રાખેલા 150 પેલેસ્ટિનીઓને પણ મુક્ત કરવા પડશે અને ગાઝામાં વધુ માનવીય સહાયની મંજૂરી આપવી પડશે. જોકે સીઝફાયર અને બંધકોની મુક્તિનો મામલો શુક્રવાર સુધી ટળી ગયો હોવાની માહિતી છે.  ઈઝરાયલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નિર્દેશક તજાચી હાનેગ્બીએ કહ્યું હતું કે બંધકોની મુક્તિ પર અમે આગળ વધી રહ્યા છીએ. બંધકોને મુક્ત કરવાની શરૂઆત તમામ પક્ષો વચ્ચે મૂળ સમજૂતીના આધારે થશે. જોકે તે શુક્રવાર પહેલા શરૂ નહીં થાય. સમજૂતી અનુસાર હમાસ ચાર દિવસમાં 50 બંધક મુક્ત કરશે જેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. બદલામાં ઈઝરાયલ 3 પેલેસ્ટિની કેદીઓને મુક્ત કરશે. એટલે કે કુલ 150 પેલેસ્ટિની આઝાદ થશે.  દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે નવી શરત રાખી દીધી છે. નેતન્યાહૂએ ઓફર કરી હતી કે હમાસ દ્વારા વધારાના 10 કેદીઓને મુક્ત કરવામાં આવશે તો અમે બદલામાં એક દિવસના સીઝફાયરને અમલી બનાવીશું. એટલે કે બંધકોની મુક્તિ તબક્કાવાર આગળ વધશે તો હમાસ દ્વારા લગભગ વધુ 20 બંધકોને મુક્ત કરાશે અને યુદ્ધવિરામ આગળ વધતું રહેશે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને 1400 લોકોના જીવ લઈ લીધા હતા અને આશરે 240 લોકોને બંધક બનાવી લીધા હતા.  

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here