Sunday, April 20, 2025
HomeGujarat‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ...

‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરત :હાલ સમગ્ર ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વેક્સીનેશન લેવામાં લોકોમાં અવેરનેસ પણ જોવા મળી છે. જેમ ટેસ્ટિંગ કરાવવા લોકોની લાઈન લાગતી હતી, તેમ હવે વેક્સીન લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે સુરતમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં માસ્ક ન પહેરવા મામલે દંડ ફટકારાતો હતો, પરંતુ સુરતમાં વેક્સીન ન લેવા મામલે દંડ ફટકારાયો છે. સુરતમાં અડાજણના એક દુકાનદારને ‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને 1000 રૂપિયા દંડ ફટકારાયો છે. જોકે, વેક્સીન ન મૂકાવા માટે ફટકારાયેલ 1 હજારના દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મહાનગર પાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરતના વેસ્ટ ઝોનના અધિકારી દ્વારા આ રસીદ આપવામાં આવી હતી. સુરત મનપા દ્વારા લોકોને જબરદસ્તીથી લોકોને વેક્સીન લગાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેનો પુરાવો સામે આવ્યો છે.  સુરતમાં અડાજણ વિસ્તારમાં 45 વર્ષીય દિલીપ દુબે નામના શખ્સની પાનની દુકાન છે. બે દિવસ પહેલા સુરત મનપાના કર્મચારીઓ દિલીપ દુબેની દુકાને આવ્યા હતા. દિલીપ દુબેની દુકાન પર આવીને મનપાના કર્મચારીઓએ સવાલ કર્યો હતો કે, ‘વેક્સીન કેમ નથી લીધી.’ ત્યારે તેમણે વેક્સીન ન લેવાની વાત સ્વીકારી હતી. ત્યારે મનપાના કર્મચારીઓએ દિલીપ દુબેને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે રસીદ જોઈને દિલીપ દુબે આશ્ચર્યમાં પડી ગયા હતા. આમ, સુરત મનપાના કર્મચારીઓ આ રીતે લોકોને લૂંટી રહ્યાં છે તેવી હકીકત સપાટી પર આવી છે. મહત્વની વાત તો એ છે કે, સરકારે 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવાની સલાહ આપી છે. જોકે, તેને ફરજિયાત કરાયું નથી, ન તો વેક્સીન લેનારાઓ પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ છે. ત્યારે સુરત મનપાના કર્મચારીઓ આ રીતે કેમ રૂપિયા વસૂલે છે તે હજી જાણવા મળ્યુ નથી. કોના આદેશથી આ રીતે દંડ વસૂલવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here