Wednesday, August 5, 2026
HomeGujarat‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ...

‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સુરત :હાલ સમગ્ર ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વેક્સીનેશન લેવામાં લોકોમાં અવેરનેસ પણ જોવા મળી છે. જેમ ટેસ્ટિંગ કરાવવા લોકોની લાઈન લાગતી હતી, તેમ હવે વેક્સીન લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે સુરતમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં માસ્ક ન પહેરવા મામલે દંડ ફટકારાતો હતો, પરંતુ સુરતમાં વેક્સીન ન લેવા મામલે દંડ ફટકારાયો છે. સુરતમાં અડાજણના એક દુકાનદારને ‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને 1000 રૂપિયા દંડ ફટકારાયો છે. જોકે, વેક્સીન ન મૂકાવા માટે ફટકારાયેલ 1 હજારના દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મહાનગર પાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરતના વેસ્ટ ઝોનના અધિકારી દ્વારા આ રસીદ આપવામાં આવી હતી. સુરત મનપા દ્વારા લોકોને જબરદસ્તીથી લોકોને વેક્સીન લગાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેનો પુરાવો સામે આવ્યો છે.  સુરતમાં અડાજણ વિસ્તારમાં 45 વર્ષીય દિલીપ દુબે નામના શખ્સની પાનની દુકાન છે. બે દિવસ પહેલા સુરત મનપાના કર્મચારીઓ દિલીપ દુબેની દુકાને આવ્યા હતા. દિલીપ દુબેની દુકાન પર આવીને મનપાના કર્મચારીઓએ સવાલ કર્યો હતો કે, ‘વેક્સીન કેમ નથી લીધી.’ ત્યારે તેમણે વેક્સીન ન લેવાની વાત સ્વીકારી હતી. ત્યારે મનપાના કર્મચારીઓએ દિલીપ દુબેને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે રસીદ જોઈને દિલીપ દુબે આશ્ચર્યમાં પડી ગયા હતા. આમ, સુરત મનપાના કર્મચારીઓ આ રીતે લોકોને લૂંટી રહ્યાં છે તેવી હકીકત સપાટી પર આવી છે. મહત્વની વાત તો એ છે કે, સરકારે 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવાની સલાહ આપી છે. જોકે, તેને ફરજિયાત કરાયું નથી, ન તો વેક્સીન લેનારાઓ પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ છે. ત્યારે સુરત મનપાના કર્મચારીઓ આ રીતે કેમ રૂપિયા વસૂલે છે તે હજી જાણવા મળ્યુ નથી. કોના આદેશથી આ રીતે દંડ વસૂલવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે. 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here