
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી છે. દિવાળીના તહેવારને લઈને મુસાફરો ઉમટ્યા છે. યુપી, બિહારના લોકો વતન જવા માટે ઉમટ્યા છે. રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રેનમાં સીટ મળે તે માટે લોકો રાતથી લાઈનમાં ઉભા રહ્યાં છે.વતન જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડી છે. ઉત્તરપ્રદેશ-બિહાર જવા માટે લોકો લાઈન લગાવીને બેસ્યા છે. રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર લાંબી લાઈન લાગી છે. છઠ પૂજા, દિવાળીના કારણે વતન તરફ લોકોએ વાટ પકડી છે. હાલ સુરતથી વધારાની 12 ટ્રેનો દોડાવાઈ રહી છે. ભીડ જોતા લાગે છે કે, વધારાની ટ્રેન હજુ પણ અપુરતી સાબિત થઈ રહી છે.સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોની દોઢ કિલોમીટર લાંબી કતાર લાગી છે. દિવાળી પર્વ પર વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસીઓ માટે વતન જવું એક ‘સપના’ સમાન બની ગયું છે. રેલવે સ્ટેશનની બહાર મુસાફરોની લગભગ દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી છે.


