Wednesday, May 7, 2025
HomeGujarat'રાવણ' અને 'રામ' ની જોડી તૂટી, અરુણ ગોવિલે કહ્યું-હવે મને પ્રભુ કહેનારુ...

‘રાવણ’ અને ‘રામ’ ની જોડી તૂટી, અરુણ ગોવિલે કહ્યું-હવે મને પ્રભુ કહેનારુ કોઈ નથી રહ્યું…

Date:

spot_img

Related stories

ટોમ ક્રૂઝનું છેલ્લું મિશન – ઊંડાણમાં ઉતરશે, આકાશમાં ઉડશે,...

દરેક નવી મિશન: ઇમ્પોસિબલ ફિલ્મ સાથે, ટોમ ક્રૂઝે જોખમની...

ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’: ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને...

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો....

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...
spot_img

એક સમય એવો હતો કે, ચાર પાત્રો લોકોના ઘરમાં જ રહેતા હોય તેમ તેમના દિલદિમાગ પર છવાયેલા હતા. રામ-સીતા-લક્ષ્મણ અને રાવણ. રામાનંદ સાગરની સીરિયલ રામાયણના ટેલિકાસ્ટથી લોકોમાં ઘરેઘરે જે ભક્તિમય માહોલ હતો, તે આજે પણ અકબંધ છે. ત્યારે આજે આ જોડી તૂટી છે. રાવણનુ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી નું 82 વર્ષની વયે નિધન થયુ છે. ત્યારે રામ અને સીતાએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. આ સમાચાર જાણીને રામનુ પાત્ર ભજવનારા અરુણ ગોવિલ અને સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ચીખલીયાની આંખમાંથી આસુ સરી પડ્યા હતા. અરુણ ગોવિલેઅરવિંદ ત્રિવેદીના નિધન પર જણાવ્યું કે, મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. હું ઉઠ્યો તો દુખદ સમાચાર મળ્યો. થોડા દિવસો પહેલા મારી વાત થઈ હતી, તેમની તબિયત નાદુરસ્ત હતી તે મને ખબર હતી. પણ આજે આ સમાચાર મળશે તેવુ વિચાર્યુ ન હતું. હવે મને પ્રભુ કહેનારુ કોઈ નથી રહ્યું. એક મિત્ર, ઉમદા માણસ અને સારા કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ જ્યારે મને મળતા તો પ્રભુ કહીને હાથ જોડીને નમસ્તે કરતા હતા. હું તેમને હંમેશા અરવિંદભાઈ કહેતો. આજે મારા દિવસની શરૂઆત ખરાબ થઈ. ભલે રોજ મળીએ કે ન મળીએ, પણ સાથે હોવુ મોટી વાત છે. તેમની સાથે એવી મિત્રતા બંધાઈ હતી. આવા લોકો જ્યારે આપણા જીવનમાં નથી રહેતા તો ખાલીપો સર્જાય છે. અરવિંદ ત્રિવેદી સાથેની વાયરલ તસવીર વિશે અરુણ ગોવિલે કહ્યું કે, આજે મને અમારા બંનેની એક તસવીર યાદ આવી ગઈ. જેમાં અમે એકબીજાને હાથ મિલાવી રહ્યા હતા, અને અમે હુ રામના વેશમાં હતો, અને તેઓ રાવણના વેશમાં હતા. આ અમારી મિત્રતાનું પ્રતિક હતું. 

ટોમ ક્રૂઝનું છેલ્લું મિશન – ઊંડાણમાં ઉતરશે, આકાશમાં ઉડશે,...

દરેક નવી મિશન: ઇમ્પોસિબલ ફિલ્મ સાથે, ટોમ ક્રૂઝે જોખમની...

ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’: ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને...

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો....

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here