Sunday, February 23, 2025
HomeUncategorizedUK:ગર્ભવતી મહિલા પર પૂર્વ પતિએ તીરથી કર્યો હુમલો, તીર પેટમાં રાખી બાળક...

UK:ગર્ભવતી મહિલા પર પૂર્વ પતિએ તીરથી કર્યો હુમલો, તીર પેટમાં રાખી બાળક બચાવ્યુંતીર તેના પેટ અને હૃદયની વચ્ચેના ભાગમાં વાગ્યું હોવાથી બાળક સુરક્ષિત હતું.

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

બાળકને ઇમરજન્સી સિઝર કરીને બચાવી લેવામાં આવ્યું છે તેનું નામ મોહમ્મદે ઇબ્રાહિમ રાખ્યું છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનમાં એક ભારતીય મૂળની મહિલાની તીર મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના દરમિયાન મહિલા પ્રેગ્નન્ટ હતી અને તેના બાળકને સિઝેરિયન દ્વારા બહાર કાઢવામાં આવ્યું છે. આ મહિલાની હત્યાનો આરોપ તેના ભૂતપૂર્વ પતિ પર છે જે હાલ કસ્ટડીમાં છે. ભારતીય મહિલા દેવી ઉન્માથલિગાડુ હાલ તેના પતિ અને પરિવાર સાથે લંડનમાં રહે છે. ગત સોમવારે દેવી જે સમયે ઘરમાં હતી ત્યારે બહારથી તેના ઉપર તીરથી હુમલો કરવામાં આવ્યો. આ તીર સીધું તેને પેટના ભાગે વાગ્યું હતું. હોસ્પિટલે તીર દેવીના શરીરમાં રાખીને જ સિઝેરિયન કરી બાળકને બહાર કાઢ્યું હતું. આ બાળક હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યું છે.

હોસ્પિટલમાં ઓપરેશન બાદ થયું મહિલાનું મોત

– સ્કોટયાર્ડ ઓફિસરોએ રામનોડ્જ ઉન્માથલિગાડુ (50) પર 35 વર્ષીય દેવીની હત્યા કરવાના આરોપો લગાવ્યા છે.
– મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનેલી મહિલાને પેટના ભાગે પણ ઇજા થઇ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં મંગળવારે તેનું મોત થયું હતું.

પહેલાં પતિથી હતા 3 બાળકો

– દેવી ઉન્માથલિગાડુ સના મોહમ્મદ તરીકે ઓળખાય છે. તેણે કથિત રીતે સાત વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને ઇમ્તિયાઝ મોહમ્મદ સાથે લગ્ન કર્યા હતા.
– દેવીને પહેલા પતિ રામનોડ્જ ઉન્માથલિગાડુથી ત્રણ બાળકો અને મોહમ્મદથી બે બાળકો હતા. જે બાળકને ઇમરજન્સી સિઝર કરીને બચાવી લેવામાં આવ્યું છે મોહમ્મદે તેનું નામ ઇબ્રાહિમ રાખ્યું છે.
– એક ન્યૂઝપેપર સાથે વાત કરતાં મોહમ્મદ ઇબ્રાહિમે કહ્યું કે, સના ખૂબ જ પ્રેમાળ પત્ની અને માતા હતી. અમે છેલ્લાં સાત વર્ષથી સાથે રહેતા હતા.

દેવીના ઘરની બહારથી જ કર્યો હુમલો

– મોહમ્મદે પોલીસને આપેલા નિવેદન અનુસાર, તેણે શેડમાં આરોપીનો પડછાયો અને તીર જોઇ લીધું હતું. તે ઘરમાં તેની પત્ની અને બાળકોને આ અંગે સજાગ કરવા દોડ્યો, પરંતુ આ દરમિયાન જ દેવીને પેટમાં તીર મારી દેવામાં આવ્યું હતું.
– મોહમ્મદે કહ્યું કે, તીર તેના પેટ અને હૃદયની વચ્ચેના ભાગમાં વાગ્યું હોવાથી બાળક સુરક્ષિત હતું. આ બાળકની ડ્યૂ ડેટ હજુ ચાર અઠવાડિયા બાદ હતી.
– ડોક્ટરોએ તીરને દેવીના શરીરમાં રાખીને જ ઓપરેશન કર્યુ હતું. કારણ કે, જો તીર બહાર કાઢી દેવામાં આવે તો બાળક અને માતા બંનેના જીવને જોખમ હતું.
– દેવીના ભૂતપૂર્વ પતિ રામનોડ્જ ઉન્માથલિગાડુને પોલીસે હાલ કસ્ટડીમાં રાખ્યો છે. ઓલ્ડ બેલી કોર્ટમાં આ અંગે ગુરૂવારે સુનવણી થશે.

ews/INT-HDLN-pregnant-woman-killed-in-arrow-attack-in-uk-gujarati-news-5981633-NOR.html?ref=ht
ews/INT-HDLN-pregnant-woman-killed-in-arrow-attack-in-uk-gujarati-news-5981633-NOR.html?ref=ht

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here