રાજકોટ: આજે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે ઓમ શાંતિ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ ખૂણે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માનવ સેવા સાથે માનવ જીવન બચાવવાનો છે. સમગ્ર વિશ્વમાં એકસાથે આ અભિયાન ચાલી રહ્યું છે. સંસ્થા દ્વારા એક વિશાળ લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં માત્ર 100 કલાકની અંદર 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવા છે. આ અભૂતપૂર્વ પ્રયાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે, અને સાથે જ લાખો જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપશે.વિશ્વ બંધુત્વ દિવસ ઉજવવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે ઓમ પ્રકાશમણી દાદીજીના જીવનમાંથી પ્રેરણા મેળવવી. દાદીજીનું મૂળ નામ “રામા” હતું, પરંતુ તેમની અનન્ય સેવા ભાવના અને દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવાના કારણે તેમને “ઓમ પ્રકાશમણી દાદીજી” તરીકે ઓળખ અપાઈ. દાદીજીએ નાના વ્યક્તિથી લઈને સમાજના ટોચના વર્ગ સુધી સર્વેની નિઃસ્વાર્થ સેવા કરી. જાત-પાત, નાત-જાત કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તેમણે માત્ર માનવ સેવા જ પોતાનું જીવન ધ્યેય બનાવ્યું. આ કારણે જ આ પવિત્ર દિવસ વિશ્વ બંધુત્વ માટે તેમને સમર્પિત કરવામાં આવ્યો છે.ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલા જગદંબા ભવનમાં સંસ્થા દ્વારા અનેક સામાજિક અભિયાનો ચલાવવામાં આવે છે. ખાસ કરીને, તેમાં મહિલા સશક્તિકરણ, નશામુક્તિ અભિયાન, યુવા જાગૃતિ કાર્યક્રમો અને ડિજિટલ અવેરનેસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આજના સમયમાં લોકો ચિંતા, ભય, હતાશા અને અનેક માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાંથી બહાર નીકળવા માટે સંસ્થા નિયમિત રીતે મેડિટેશન સત્રો અને પોઝિટિવ લાઈફસ્ટાઈલ એક્ટિવિટીઝનું આયોજન કરે છે, જેથી લોકો માનસિક શાંતિ અને આત્મબળ મેળવી શકે.
વસુધૈવ કુટુંબકમ્: બ્રહ્માકુમારી સંસ્થાની માનવતા માટેની અદ્ભુત પહેલ 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનો અભિયાન શરૂ કર્યો
Date:


