Tuesday, June 30, 2026
HomeAhmedabadવસુધૈવ કુટુંબકમ્: બ્રહ્માકુમારી સંસ્થાની માનવતા માટેની અદ્ભુત પહેલ 1 લાખ યુનિટ બ્લડ...

વસુધૈવ કુટુંબકમ્: બ્રહ્માકુમારી સંસ્થાની માનવતા માટેની અદ્ભુત પહેલ 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનો અભિયાન શરૂ કર્યો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

રાજકોટ: આજે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે ઓમ શાંતિ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ ખૂણે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માનવ સેવા સાથે માનવ જીવન બચાવવાનો છે. સમગ્ર વિશ્વમાં એકસાથે આ અભિયાન ચાલી રહ્યું છે. સંસ્થા દ્વારા એક વિશાળ લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં માત્ર 100 કલાકની અંદર 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવા છે. આ અભૂતપૂર્વ પ્રયાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે, અને સાથે જ લાખો જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપશે.વિશ્વ બંધુત્વ દિવસ ઉજવવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે ઓમ પ્રકાશમણી દાદીજીના જીવનમાંથી પ્રેરણા મેળવવી. દાદીજીનું મૂળ નામ “રામા” હતું, પરંતુ તેમની અનન્ય સેવા ભાવના અને દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવાના કારણે તેમને “ઓમ પ્રકાશમણી દાદીજી” તરીકે ઓળખ અપાઈ. દાદીજીએ નાના વ્યક્તિથી લઈને સમાજના ટોચના વર્ગ સુધી સર્વેની નિઃસ્વાર્થ સેવા કરી. જાત-પાત, નાત-જાત કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તેમણે માત્ર માનવ સેવા જ પોતાનું જીવન ધ્યેય બનાવ્યું. આ કારણે જ આ પવિત્ર દિવસ વિશ્વ બંધુત્વ માટે તેમને સમર્પિત કરવામાં આવ્યો છે.ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલા જગદંબા ભવનમાં સંસ્થા દ્વારા અનેક સામાજિક અભિયાનો ચલાવવામાં આવે છે. ખાસ કરીને, તેમાં મહિલા સશક્તિકરણ, નશામુક્તિ અભિયાન, યુવા જાગૃતિ કાર્યક્રમો અને ડિજિટલ અવેરનેસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આજના સમયમાં લોકો ચિંતા, ભય, હતાશા અને અનેક માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાંથી બહાર નીકળવા માટે સંસ્થા નિયમિત રીતે મેડિટેશન સત્રો અને પોઝિટિવ લાઈફસ્ટાઈલ એક્ટિવિટીઝનું આયોજન કરે છે, જેથી લોકો માનસિક શાંતિ અને આત્મબળ મેળવી શકે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here