Monday, September 7, 2026
HomeAhmedabadવસુધૈવ કુટુંબકમ્: બ્રહ્માકુમારી સંસ્થાની માનવતા માટેની અદ્ભુત પહેલ 1 લાખ યુનિટ બ્લડ...

વસુધૈવ કુટુંબકમ્: બ્રહ્માકુમારી સંસ્થાની માનવતા માટેની અદ્ભુત પહેલ 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનો અભિયાન શરૂ કર્યો

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

રાજકોટ: આજે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે ઓમ શાંતિ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ ખૂણે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માનવ સેવા સાથે માનવ જીવન બચાવવાનો છે. સમગ્ર વિશ્વમાં એકસાથે આ અભિયાન ચાલી રહ્યું છે. સંસ્થા દ્વારા એક વિશાળ લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં માત્ર 100 કલાકની અંદર 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવા છે. આ અભૂતપૂર્વ પ્રયાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે, અને સાથે જ લાખો જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપશે.વિશ્વ બંધુત્વ દિવસ ઉજવવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે ઓમ પ્રકાશમણી દાદીજીના જીવનમાંથી પ્રેરણા મેળવવી. દાદીજીનું મૂળ નામ “રામા” હતું, પરંતુ તેમની અનન્ય સેવા ભાવના અને દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવાના કારણે તેમને “ઓમ પ્રકાશમણી દાદીજી” તરીકે ઓળખ અપાઈ. દાદીજીએ નાના વ્યક્તિથી લઈને સમાજના ટોચના વર્ગ સુધી સર્વેની નિઃસ્વાર્થ સેવા કરી. જાત-પાત, નાત-જાત કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તેમણે માત્ર માનવ સેવા જ પોતાનું જીવન ધ્યેય બનાવ્યું. આ કારણે જ આ પવિત્ર દિવસ વિશ્વ બંધુત્વ માટે તેમને સમર્પિત કરવામાં આવ્યો છે.ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલા જગદંબા ભવનમાં સંસ્થા દ્વારા અનેક સામાજિક અભિયાનો ચલાવવામાં આવે છે. ખાસ કરીને, તેમાં મહિલા સશક્તિકરણ, નશામુક્તિ અભિયાન, યુવા જાગૃતિ કાર્યક્રમો અને ડિજિટલ અવેરનેસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આજના સમયમાં લોકો ચિંતા, ભય, હતાશા અને અનેક માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાંથી બહાર નીકળવા માટે સંસ્થા નિયમિત રીતે મેડિટેશન સત્રો અને પોઝિટિવ લાઈફસ્ટાઈલ એક્ટિવિટીઝનું આયોજન કરે છે, જેથી લોકો માનસિક શાંતિ અને આત્મબળ મેળવી શકે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here