
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવી અને સંસદીય પ્રક્રિયાની સમજ વિકસાવવી હતો. કાર્યક્રમ માં મુખ્ય અતિથિ માં શાળા ના ટ્રસ્ટી શ્રી શ્રીમતી ધારીણીબેન શુક્લા તેમજ શાળાના પ્રધાનાચાર્ય શ્રી નિરંજનભાઈ જોષી ની ખાસ ઉપસ્થતિ રહી હતી. શાળા ના પ્રાંગણ ઉત્સાહભેર યોજાયો હતો.આ કાર્યક્રમ શિક્ષક શર્મા રાહુલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.જેમાં પાંડે સાક્ષી,રાજપુરોહિત વંશિકા,જિયા પટેલ,બ્રહ્મભટ્ટ પ્રિન્સી,માઇટી ઋત્વિકા,ઠાકોર વિવાન,ઉપાધ્યાય જન્મેજય,રાજપૂત તમન્ના,ભાવસાર દ્રષ્ટિ,પાલીવાલા સુશાંત,જોશી સોહમ,મહેતા ધાર્મિક વિદ્યાર્થીઓએ સંસદના વિવિધ પદો જેમ કે સ્પીકર, વિપક્ષના નેતા વગેરેની ભૂમિકાઓ નિભાવેલી. વિદ્યાર્થીઓએ દેશના મહત્વના મુદ્દાઓ જેમ કે શિક્ષણ, પર્યાવરણ, બેરોજગારી અને સ્વચ્છતા અંગે ચર્ચા કરી હતી.પક્ષ અને વિપક્ષના નેતાએ પોતાના મત પ્રસ્તુત કર્યા અને ચર્ચા દરમિયાન પ્રશ્નોત્તરી પણ થઈ હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને જ્ઞાનવર્ધક રહ્યો હતો.
અંતમાં શાળા ના ટ્રસ્ટી શ્રી અને પ્રધાનાચાર્ય શ્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને આવા કાર્યક્રમો વધુ યોજવાના આશ્વાસન આપ્યા.આ રીતે “યુવા સંસદ” કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
