Monday, April 21, 2025
HomeGujaratમહેનતને વધારે ચમકાવી શકો છો, અન્નદાતા ઉર્જાદાતા બને તે સપનું : પાટીદાર...

મહેનતને વધારે ચમકાવી શકો છો, અન્નદાતા ઉર્જાદાતા બને તે સપનું : પાટીદાર સમિટમાં પીએમ મોદી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરત : સરદારધામ વિશ્વ પાટીદાર સમાજના ઉપક્રમે રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં આજથા શુક્રવારથી ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી યોજાનાર આ સમિટનું ઉદઘાટન કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુલ રીતે કર્યુ હતુ.પીએમ મોદીએ સમિટનું ઉદ્ધાટન કરીને કહ્યુ કે, આધુનિક કનેક્ટિવિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, નવા શહેરોનું નિર્માણ, જૂના શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ વિકસાવવી, દેશને જૂના નિયમો અને કાયદાઓમાંથી મુક્ત કરવો અને નવીનતા અને વિચારોનો હાથ પકડવો, આવા તમામ કાર્યો એકસાથે થઈ રહ્યા છે.પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે.પીએમ મોદીએ પાટીદારોને ખેડૂતો માટે કામ કરવા માટે પ્રેરણા આપતા જણાવ્યુ કે, અહીં બેઠા છે તેમાંથી 90 ટકા લોકોના વડવાઓ ખેડૂતો હશે. આજે તમે અરબો ખરબોનો વેપાર કરો છો તો ગુજરાતની ખેતીને આધુનિક બનાવવો. આપણે બહારથી અનાજ નથી લાવવું પ્રાકૃતિક ખેતીમાં કામ કરો. જેમ હિરા ચમકાવો એમ ખેડુતોની મહેનત પણ ચમકાવો, ભારત સરકારે ગોબરધન પ્રોજેકટ નક્કી કર્યો છે. દરેક જિલ્લામાં 75 મોટા અમૃત સરોવર બનાવીએ.સુરતનાં સાંસદ દર્શનાબહેન જરદોષ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો પૂર્ણેશ મોદી, હર્ષસંઘવી, વિનુભાઇ મોરડિયા, મુકેશ પટેલ ઉપરાંત સુરતનાં મેયર હેમાલી બોઘાવાલા, ડે. મેયર દિનેશ જોધાણી તેમજ પાટીદાર આગેવાનો ગોવિંદભાઇ ધોળકિયા, સવજીભાઇ ધોળકિયા, લવજીભાઇ બાદશાહ, મથુરભાઇ સવાણી, દિનેશભાઇ નાવડિયા વગેરે સહિત વિશ્વના વિવિધ દેશોના પાટીદાર અગ્રણીઓ –બિઝનેસ પર્સન્સ સહિત અનેક નાના મોટા ઉદ્યોગ સાહસિકો આ સમિટમાં ભાગ લેશે. માત્ર પાટીદાર જ નહીં પણ સર્વ સમાજના ઔદ્યોગિકક વ્યાપારીઓ પણ આ ગ્લોબલ સમિટમાં હાજરી આપશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here