Saturday, March 7, 2026
HomeGujaratઅધિકારીઓને અપાતી દિવાળી 'ગિફ્ટ' અંગે સુરત કલેક્ટરની અપીલ, ભેટસોગાદોને બદલે પુસ્તકો આપો

અધિકારીઓને અપાતી દિવાળી ‘ગિફ્ટ’ અંગે સુરત કલેક્ટરની અપીલ, ભેટસોગાદોને બદલે પુસ્તકો આપો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ દ્વારા અધિકારીઓને દિવાળીમાં ભેટસોગાદો આપવાને બદલે પુસ્તકો આપવા અપીલ કરવામાં આવી છે. દિવાળી દરમિયાન અધિકારીઓને ભેટસોગાદો આપવાના બદલે પુસ્તકો આપવાના પોસ્ટરો કલેક્ટર કચેરી પર લગાવવામાં આવ્યા છે.

ભેટસોગાદો આપવાના બદલે પુસ્તકો આપવાના પોસ્ટરો કલેક્ટર કચેરી પર લાગ્યા

સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અવનવું કરવાથી ટેવાયેલા છે. થોડા સમય પહેલાં કલેક્ટરે સોશિયલ મીડિયાને તિલાંજલી આપી નવી પહેલ શરૂ કરી હતી. જેમાં પાંચ ડેપ્યુટી ક્લેક્ટરે પણ સોશિયલ મીડિયાને તિલાંજલી આપી દીધી હતી. દરમિયાન દિવાળીની ભેટસોગાદોને લઈને કરવામાં આવેલી અપીલ પણ ચર્ચાનો વિષય બની છે. સુરત કલેક્ટર કચેરી પર અપીલ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આપ સર્વેને દિવાળી અને નવા વર્ષની શુભકામના. આપની શુભકામનાઓ બહુમૂલ્ય છે. મીઠાઈઓ કે ભેટસોગાદો આપી તેનું અવમૂલ્યન કરશો નહીં. આ દિવાળી ગમતા માણસોને સારા પુસ્તકો ભેટ આપી નવી ચીલો ચીતરીએ.

સોશિયલ મીડિયાની તિલાંજલી આપી નવી પહેલ શરૂ કરી

અધિકારી ડો. ધવલ પટેલે વોટ્સઅપ પર એક મેસેજ મૂકતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમણે વોટ્સઅપ પર કરેલા છેલ્લા મેસેજમાં પોતાના સહકર્મચારીઓ અને અધિકારીઓને જણાવ્યું હતું કે, પોતે સ્માર્ટ ફોન કે સોશિયલ મીડિયા જેવા કે વોટ્સઅપ, ફેસબુક કે ટ્વીટર, પર એક્ટીવ નહીં રહે. તેની પાછળ તેમણે પોતાનું અંગત કારણ હોવાનું જણાવ્યું છે. તેમનો સંપર્ક કરવો હોય તો ફોન કોલ, એસએમએસ અને ઇમેલ પર ઉપલબ્ધ રહેશે. તેમણે પોતાનો મોબાઇલ નં. 99278406222 અને ઇમેલ [email protected] જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છેકે, બુદ્ધિજીવીઓ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાથી દૂર થઇ રહ્યા છે. ત્યારે સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની પહેલ સમાજના અનેક લોકોને પ્રભાવિત કરશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here