Friday, June 26, 2026
HomeGujaratખેડૂત સંમેલનમાં વિરજી ઠુંમરે કહ્યું હરેન પંડ્યાનો હત્યારો સફેદ દાઢીવાળો, ધાનાણીએ કુંવરજીને...

ખેડૂત સંમેલનમાં વિરજી ઠુંમરે કહ્યું હરેન પંડ્યાનો હત્યારો સફેદ દાઢીવાળો, ધાનાણીએ કુંવરજીને કાકા કંસ કહ્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જસદણ-વીંછિયા કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંમેલન જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયું હતું. જેમા અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે વિવાદીત નિવેદન આપતા જણાવ્યું હતું કે, હરેન પંડ્યાનો હત્યારો આ સફેદ દાઢીવાળો છે, જેની જાહેરમાં ચેલેન્જ કરૂ છું. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કુંવરજી બાવળિયાને કાકા કંસ કહીને સંબોધન કર્યું હતું.

કાકા કંસને કેબિનેટ મંત્રીની લાળ લાગી એટલે આ ગદારી કરી છે

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મતનું દાન કરજો વેચાણ નહીં, કુંવરજીને કાકા કંસની ઉપમાં આપી કહ્યું હતું કે, કાકા કંસને કેબિનેટ મંત્રીની લાળ લાગી એટલે કોંગ્રેસ સાથે ગદારી કરી છે અને કમળની કંઠી બાંધી છે. જસદણ અને વીંછિયાના કાર્યકર્તાઓએ આવી કંઠી બાંધવાની નથી. 7 ડિસેમ્બરે મતદાન કરવાનું થશે. કાકા કંસને ભગા ભરવાડ જેવું થાય તો પહેલા જસદણ પાછા લઇ આવજો. કેબિનેટ મંત્રી તરીકે હવે તે અલ્પકાલિન છે. ભાજપની સરકાર ગાંધીનગરથી રીમોટ પર ચાલતી સરકાર છે. કાકા કંસે જસદણ તાલુકાને અછતગ્રસ્ત કેમ કરી શક્યા નહીં. ખેડૂતોનું પ્રિમયમ વસૂલે છે અને તે પાછું ખાનગી કંપનીઓને આપે છે. ખેડૂતોના દેવા ક્યારે માફ કરશો. ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો તેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

શું કહ્યું અમિત ચાવડાએ

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીથી અત્યાર સુધી હંમેશા આ વિસ્તારમાં પંજો જ રહ્યો છે. આ ચૂંટણી વ્યક્તિને ચૂંટવાની ચૂંટણી નથી. પણ કોંગ્રેસની વિચારધારાને ચૂંટવાની ચૂંટણી છે. 2014ની ચૂંટણીમાં ભાજપે જે વચનો આપ્યા તે હજી સુધી પૂરા નથી કર્યા. ભાજપ સરકાર પાસે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના પૈસા છે પણ ખેડૂતોના દેવા માફ કરવાના પૈસા નથી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here