Friday, June 5, 2026
HomeWorldઆતંકીઓની બેરેકમાં ઈમરાનખાન કેદ : બાથરૂમમાં બારણું પણ નથી : કીડીઓ અને...

આતંકીઓની બેરેકમાં ઈમરાનખાન કેદ : બાથરૂમમાં બારણું પણ નથી : કીડીઓ અને મચ્છરોનો અસહ્ય ત્રાસ ભોગવે છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઈમરાનખાનના વકીલે તેઓને અહીં જેલમાં મળ્યા પછી જણાવ્યું હતું કે ”ઈમરાનખાનને આતંકીઓ માટેની બેઠકમાં રાખવામાં આવ્યા છે. ત્યાં બાથરૂમમાં દરવાજો પણ નથી, કીડીઓ અને મચ્છરોનો અસહ્ય ત્રાસ છે”

તોશાખાના કેસમાં સજા થયા પછી પાકિસ્તાનના આ પુર્વ વડાપ્રધાનને જે જેલમાં (અટકની જેલમાં) રાખવામાં આવ્યા છે. તે જેલ ખુંખાર અપરાધીઓ અને આતંકીઓ માટેની જેલ છે.

ઈમરાનખાનને કોઈને મળવા પણ દેવાતા નથી. બે દિવસ પછી બપોરના સમયે તેઓના વકીલ નઈમ હૈદર પંજોડાને તેઓને મળવા દેવામાં આવ્યા હતા. આ પુર્વે પંજોડાએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાનખાનની ધરપકડ સાથે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સાથે તેવી પણ અરજી કરી હતી કે ઈમરાનખાનને ”એ-ક્લાસ”ની સુવિધા આપવામાં આવે. તે ઉપરાંત તેઓને તેમની ટીમને (પાર્ટીના અગ્રીમ નેતાઓને) મળવા દેવામાં આવે જ.

જોકે હજુ સુધી વહીવટીતંત્રે તેનો અમલ કર્યો નથી તે વધુ ઉલ્લેખનીય છે.

ઈમરાનખાનને મળ્યા પછી પંજોડાએ કહ્યું ઈમરાનખાનને ૯ ફીટ બાય ૧૧ ફીટની નાની એવી સી-સી-ક્લાસની બેરેકમાં રાખવામાં આવ્યા છે. તે બેરેકમાં ખુલ્લો બાથરૂમ છે. તેમાં નથી દીવાલ કે નથી દરવાજો રાત્રે વરસાદનું પાણી બેરેકમાં ઘુસી ગયું હતું. આટલી મુશ્કેલી વચ્ચે પણ ઈમરાનખાન ઈબાદત કરી રહ્યા છે. તેઓનો ઉત્સાહ જરા પણ ઘટયો નથી.

તેઓએ વધુમાં કહ્યું હતું કે ”જેલમાં ઈમરાનખાન મચ્છરો અને કીડીઓના ત્રાસથી ત્રાસી ગયા છે. ખાવામાં દાળ અને શાક અપાય છે. તેમ છતાં તેઓ કોઈ ફરીયાદ તો કરતા જ નથી. ઈમરાનખાને મને કહ્યું હતું કે તમો મીડીયાને જઈને કહો કે તેઓ ગુલામી કદી નહીં સ્વીકારે, ભલે પછી તેમને ”ડી” ક્લાસમાં નાખવામાં આવે પરંતુ ગુલામી નહીં સ્વીકારે. તેમણે વધુમાં કહ્યું કે તેમના ઘર ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. તેમના બેડરૂમનો દરવાજો અને બારીઓ પણ તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here