Monday, March 17, 2025
HomeBusinessએલઆઈસીના નવા બિઝનેસ પ્રીમિયમની આવકમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો

એલઆઈસીના નવા બિઝનેસ પ્રીમિયમની આવકમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો

Date:

spot_img

Related stories

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગજનો માટે “ગાશે ગુજરાત” લોકસંગીતનો...

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર...

યુજેનિક્સ હેર સાયન્સ: ભારતનું અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, જે...

વિશ્વભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે....

IESA વિઝન સમિટ 2025 ભવિષ્યને પ્રકાશિત કરે છે: 1,000+...

ભારતે સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની...

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...
spot_img

– અમલી બનેલા નવા વેરા નિયમની પ્રતિકૂળ અસર

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશનના નવા બિઝનેસ પેટેના પ્રીમિયમ મારફતની આવકમાં વાર્ષિક ધોરણે પ૦ ટકા જેટલો ઘટાડો થયો છે. ૨૦૨૨ના એપ્રિલની સરખામણીએ વર્તમાન વર્ષના એપ્રિલમાં નવા બિઝનેસ પેટેના પ્રીમિયમ મારફતની આવક ઘટી રૂપિયા ૫૮૧૦.૧૦ કરોડ રહી હતી.

વર્તમાન નાણાં વર્ષથી ઊંચા પ્રીમિયમ સાથેના જીવન વીમા પ્રોડકટસ પર વેરા લાભ નાબુદ કરાતા નવા વેપાર પર અસર પડી હોવાનું જોવા મળી રહ્યું છે.

સંપૂર્ણ જીવન વીમા ઉદ્યોગની નવા બિઝનેસ પ્રીમિયમની આવકમાં ૩૦ ટકા ગાબડું પડયું હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

જીવન વીમા પ્રોડકટસ એ કોઈ લકઝરી પ્રોડકસ ન હોવાથી તેના પર વેરા લાભ મળવા જોઈએ તેવી ઉદ્યોગની માગણી છતાં વર્તમાન નાણાં વર્ષથી વાર્ષિક રૂપિયા પાંચ લાખથી વધુના વીમા પ્રોડકટસ  પર પાકતી મુદતે ટેકસ વસૂલવાની દરખાસ્ત અમલમાં આવી છે. 

આ નવા ધોરણને કારણે ઊંચી કિંમતના જીવન વીમા પ્રોડકટસ માટેના આકર્ષણમાં ઘટાડો થઈ રહ્યાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે કોઈ નાણાં વર્ષના શરૂઆતના મહિનાઓમાં વીમા વેપાર મંદ રહેતો હોય છે અને પછીના ગાળામાં વેરા રાહતના લાભ મેળવવા વીમા પ્રોડકટસ ખરીદાતા હોવાનું જોવા મળી છે.

વર્તમાન વર્ષથી નવા વેરા નિયમને જોતા ઊંચા પ્રીમિયમ સાથેના વીમા પ્રોડકટસના વેચાણ પર અસર જોવા મળશે એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

કોઈ વર્ષ દરમિયાન નવી પોલિસી મારફત આવતા પ્રીમિયમને નવા બિઝનેસ પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. 

દરમિયાન લિસ્ટિંગના એક વર્ષ બાદ એલઆઈસીના શેરભાવમાં ચાલીસ ટકા જેટલું ધોવાણ થયાનું જોવા મળે છે. રૂપિયા ૯૪૯ના ભરણાંના ભાવથી એલઆઈસીનો શેર હાલમાં રૂપિયા ૫૬૫ આસપાસ બોલાઈ રહ્યો છે. 

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગજનો માટે “ગાશે ગુજરાત” લોકસંગીતનો...

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર...

યુજેનિક્સ હેર સાયન્સ: ભારતનું અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, જે...

વિશ્વભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે....

IESA વિઝન સમિટ 2025 ભવિષ્યને પ્રકાશિત કરે છે: 1,000+...

ભારતે સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની...

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here