Sunday, March 8, 2026
Homenationalકર્ણાટક કટોકટી : કુમારસ્વામી વિશ્વાસમત મેળવવા તૈયાર છે

કર્ણાટક કટોકટી : કુમારસ્વામી વિશ્વાસમત મેળવવા તૈયાર છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

બેંગ્લોર, તા. ૧૨
કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે જાહેરાત કરી હતી કે, તેઓ વિશ્વાસમત મેળવવા માટે ઇચ્છુક છે. કુમારસ્વામીએ વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશકુમાર પાસેથી સમયની માંગ કરી છે. રાજ્ય વિધાનસભામાં કુમારસ્વામીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. સરકાર પતનના આરે પહોંચી છે ત્યારે આ અંગેની જાહેરાત કરીને કુમારસ્વામીએ તમામને ચોંકાવી દીધા છે. રાજ્ય વિધાનસભાનું સત્ર ૧૧ દિવસનું શરૂ થઇ ચુક્યું છે. ૧૬ ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર પતનના આરે પહોંચી છે. સરકાર બચી શકશે કે કેમ તેને લઇને કોઇપણ રાજકીય પંડિત કહેવાની Âસ્થતિમાં નથી. જા કે, વિપક્ષી ભાજપે મામલામાં મુખ્યમંત્રીની જારદાર ઝાટકણી કાઢી છે. કર્ણાટકમાં હાલ જારદાર કટોકટી સર્જાઈ ગઈ છે. કારણ કે, કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ત્રણ ધારાસભ્યો સહિત કુલ ૧૬ ધારાસભ્યો રાજીનામુ આપી ચુક્યા છે. એટલામાં ઓછું હોય તેમ બે અપક્ષ ધારાસભ્યો પણ રાજીનામુ આપી ચુક્યા છે. આ તમામને સરકારને તેમનો ટેકો પરત ખેંચી લીધો છે. કુમારસ્વામીએ આજે વાત કરતા કહ્યું હતું કે, ઉપરોક્ત ઘટનાક્રમના દોર વચ્ચે તેઓએ નિર્ણય લીધો છે કે, વિશ્વાસમત મેળવવાની જરૂર છે. કુમારસ્વામીએ સ્પીકરનો સમય માંગી લીધો છે. તેમનું કહેવું છે કે, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે વિશ્વાસમત જરૂરી છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યં હતું કે, સ્વૈÂચ્છકરીતે વિશ્વાસમત માટેનો નિર્ણય લીધો છે. હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચેઆ દુવિધા કેટલાક ધારાસભ્યોના પગલાના કારણે ઉભી થઇ છે. કુમારસ્વામીએ જાહેરાત કરી હતી કે, કોઇપણ Âસ્થતિનો સામનો કરવા તેઓ તૈયાર છે. સત્તા પર ચોંટી રહેવા માટે તેઓ અહીં આવ્યા નથી. શાસક ગઠબંધનનું કુલ સંખ્યાબળ ૧૧૬ છે જેમાં સ્પીકર ઉપરાંત કોંગ્રેસના ૭૮, જેડીએસના ૩૭ અને બસપના એક સભ્ય છે. બે અપક્ષ ધારાસભ્યોના ટેકા સાથે હવે ભાજપ પાસે કુલ સંખ્યાબળ ૧૦૭નું થયું છે. ૨૨૪ સભ્યોના ગૃહમાં અડધો આંકડો ૧૧૩ સભ્યોનો છે. જા ૧૬ ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારી લેવામાં આવશે તો ગઠબંધનનું સંક્યાબળ ઘટીને ૧૦૦ થઇ જશે અને સરકાર લઘુમતિમાં આવી જશે ત્યારબાદ તેનું પતન નિશ્ચિત દેખાઈ રહ્યું છે. કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપે હાલમાં સ્થતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ટૂંક સમયમાં જ સરકાર બચી શકશે કેમ તે અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here