Wednesday, March 11, 2026
HomeAhmedabadગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ

ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૦ નવા કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૪૧,૮૪૫ છે. ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. હાલમાં ૧૦,૪૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૨૮૨ છે. ડિસેમ્બરના ૨૭ દિવસમાં કોરોનાના ૩૨૦૬૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૯૩ના મૃત્યુ થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૧૭૨-ગ્રામ્યમાંથી ૬ એમ નવા ૧૭૮ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૫૬,૯૬૬ છે. સુરત શહેરમાં ૧૨૬-ગ્રામ્યમાં ૩૨ એમ ૧૫૮ સાથે કુલ કેસનો આંક હવે ૪૮,૮૨૫ છે. વડોદરા શહેરમાં ૧૦૫-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૩૫, રાજકોટ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૯૨ નવા કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૦ સાથે દાહોદ, ૨૬ સાથે ગાંધીનગર-કચ્છ, ૨૩ સાથે ભાવનગર, ૨૨ સાથે મહેસાણા, ૨૦ સાથે જામનગરનો સમાવેશ થાય છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૨ અને વડોદરામાંથી ૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૨૩૭-સુરતમાં ૯૬૧ અને વડોદરામાં ૨૩૪ છે. કોરોનાથી મૃત્યુદર ૧.૭૭% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૮૩-રાજકોટમાંથી ૧૬૪-સુરતમાંથી ૧૬૦-વડોદરામાંથી ૫૬ એમ રાજ્યભરમાંથી ૯૨૦ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૩.૯૧% છે. ગુજરાતમાં હાલ ૫,૦૧,૧૬૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૩,૦૭૫ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૯૪,૩૭,૧૦૫ થયો છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here