Thursday, September 3, 2026
HomeAhmedabadગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ

ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૦ નવા કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૪૧,૮૪૫ છે. ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. હાલમાં ૧૦,૪૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૨૮૨ છે. ડિસેમ્બરના ૨૭ દિવસમાં કોરોનાના ૩૨૦૬૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૯૩ના મૃત્યુ થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૧૭૨-ગ્રામ્યમાંથી ૬ એમ નવા ૧૭૮ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૫૬,૯૬૬ છે. સુરત શહેરમાં ૧૨૬-ગ્રામ્યમાં ૩૨ એમ ૧૫૮ સાથે કુલ કેસનો આંક હવે ૪૮,૮૨૫ છે. વડોદરા શહેરમાં ૧૦૫-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૩૫, રાજકોટ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૯૨ નવા કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૦ સાથે દાહોદ, ૨૬ સાથે ગાંધીનગર-કચ્છ, ૨૩ સાથે ભાવનગર, ૨૨ સાથે મહેસાણા, ૨૦ સાથે જામનગરનો સમાવેશ થાય છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૨ અને વડોદરામાંથી ૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૨૩૭-સુરતમાં ૯૬૧ અને વડોદરામાં ૨૩૪ છે. કોરોનાથી મૃત્યુદર ૧.૭૭% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૮૩-રાજકોટમાંથી ૧૬૪-સુરતમાંથી ૧૬૦-વડોદરામાંથી ૫૬ એમ રાજ્યભરમાંથી ૯૨૦ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૩.૯૧% છે. ગુજરાતમાં હાલ ૫,૦૧,૧૬૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૩,૦૭૫ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૯૪,૩૭,૧૦૫ થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here