Tuesday, June 30, 2026
HomeAhmedabadગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ

ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના સૌથી ઓછા દૈનિક કેસ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૦ નવા કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૪૧,૮૪૫ છે. ગુજરાતમાં ૮ જુલાઇ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. હાલમાં ૧૦,૪૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૨૮૨ છે. ડિસેમ્બરના ૨૭ દિવસમાં કોરોનાના ૩૨૦૬૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૯૩ના મૃત્યુ થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૧૭૨-ગ્રામ્યમાંથી ૬ એમ નવા ૧૭૮ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૫૬,૯૬૬ છે. સુરત શહેરમાં ૧૨૬-ગ્રામ્યમાં ૩૨ એમ ૧૫૮ સાથે કુલ કેસનો આંક હવે ૪૮,૮૨૫ છે. વડોદરા શહેરમાં ૧૦૫-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૩૫, રાજકોટ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૩૧ સાથે ૯૨ નવા કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૦ સાથે દાહોદ, ૨૬ સાથે ગાંધીનગર-કચ્છ, ૨૩ સાથે ભાવનગર, ૨૨ સાથે મહેસાણા, ૨૦ સાથે જામનગરનો સમાવેશ થાય છે.છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૨ અને વડોદરામાંથી ૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૨૩૭-સુરતમાં ૯૬૧ અને વડોદરામાં ૨૩૪ છે. કોરોનાથી મૃત્યુદર ૧.૭૭% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૮૩-રાજકોટમાંથી ૧૬૪-સુરતમાંથી ૧૬૦-વડોદરામાંથી ૫૬ એમ રાજ્યભરમાંથી ૯૨૦ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૩.૯૧% છે. ગુજરાતમાં હાલ ૫,૦૧,૧૬૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૩,૦૭૫ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૯૪,૩૭,૧૦૫ થયો છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here