Thursday, May 15, 2025
Homenationalચારા કૌભાંડમાં લાલૂને બેલ પણ હજુ જેલમાં રહેવું પડશે

ચારા કૌભાંડમાં લાલૂને બેલ પણ હજુ જેલમાં રહેવું પડશે

Date:

spot_img

Related stories

ટાટા મોટર્સ અને વર્ટેલોએ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે આકર્ષક...

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ...

અદાણી સિમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી (ઈન્ડિયા)ની નેશનલ કેપેસિટી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...
spot_img

રાંચી હાઈકોર્ટે દેવઘર તિજારી ઉચાપત મામલામાં લાલૂને જામીન આપ્યા ઃ ડુમકા અને ચાઈબાસા કેસમાં હજુ જેલમાં

રાંચી, તા. ૧૨
રાષ્ટ્રીય જનતા દળ અથવા તો આરજેડીના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના એક મામલામાં રાંચી હાઈકોર્ટ તરફથી જામીન મળી ગયા છે પરંતુ હાલમાં તેમને જેલમાં જ રહેવાની જરૂર રહેશે. લાલૂ યાદવે દેવઘર તિજારી મામલામાં હાઈકોર્ટ તરફથી રાહત મળી ગઈ છે. હાઈકોર્ટે લાલૂ યાદવને જામીન સજાની અડધી અવધિ પસાર કરી દીધા બાદ આના આધાર પર જામીન આપ્યા છે. અલબત્ત આ મામલામાં જામીન મળી ગયા હોવા છતાં લાલૂને હાલમાં જેલમાં રહેવું પડશે. લાલૂ યાદવ તરફથી ૧૩મી જૂનના દિવસે રાંચી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આજે આ અરજી ઉપર સુનાવણી હાથ ધરતી વેળા દેવઘર તિજારીમાંથી ઉચાપતના મામલામાં લાલૂને જામીન આપી દીધા હતા. આ મામલા લાલૂ પોતાની અડધી સજા ગાળી ચુક્યા છે જેથી તેમને જામીન આપી શકાય છે. હાઈકોર્ટે લાલૂને શરતી જામીન આપ્યા હતા. જામીન માટે લાલૂને ૫૦-૫૦ હજાર રૂપિયાના બે હિસ્સા રજૂ કરવા પડશે. આ ઉપરાંત કોર્ટે લાલૂ યાદવને પાસપોર્ટ જમા કરાવી દેવા માટે આદેશ કર્યા હતા. આવી સ્થતિમાં લાલૂ દેશની બહાર જઇ શકશે નહીં. હાઈકોર્ટે લાલૂને દેવઘર તિજારી ઉચાપતના મામલામાં જામીન આપ્યા છે પરંતુ હજુ ચાઇબાસા અને ડુમકા તિજારી મામલામાં જામીન મળ્યા નથી જેથી લાલૂ યાદવને જેલમાં રહેવાની ફરજ પડશે. લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં સજા ફટકારવામાં આવી છે. દેવઘર તિજારીમાંથી આશરે ૮૯ લાખ ૨૭ હજારની ગેરકાયદે રકમ ઉપાડવાના મામલામાં ૨૩મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સીબીઆઈની ખાસ કોર્ટે લાલૂને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. લાલૂ યાદવ આ મામલામાં દોઢ વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. ડુમકા કેસમાં લાલૂને પાંચ વર્ષ અને ચાઈબાસા મામલામાં લાલૂને સાત વર્ષની જેલની સજા કરાઈ છે.

ટાટા મોટર્સ અને વર્ટેલોએ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે આકર્ષક...

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ...

અદાણી સિમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી (ઈન્ડિયા)ની નેશનલ કેપેસિટી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here