Sunday, March 8, 2026
Homenationalજેટ એરવેઝ 4 વર્ષ પછી ફરી ઉડાન ભરવા તૈયાર, DGCAએ ઓપરેટર સર્ટિ...

જેટ એરવેઝ 4 વર્ષ પછી ફરી ઉડાન ભરવા તૈયાર, DGCAએ ઓપરેટર સર્ટિ ઈશ્યૂ કરતાં આપી મંજૂરી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

2019માં જેટ એરવેઝે ભરી હતી છેલ્લી ઉડાન

જેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર DGCA દ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (AOC) જારી કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મળતા જ એરલાઇન્સ માટે ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા, જેટ એરવેઝને ફરી શરુ કરવા માટે કામ કરી રહેલા જાલાન-કાલરોક કન્સોર્ટિયમે કહ્યું કે, તે જેટ એરવેઝને પુનઃશરૂ કરવા માટે ભારતીય ઉડ્ડયન નિયમનકારનો અમારામાં વિશ્વાસ દર્શાવે છે. આ સાથે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, અમે DGCA અને તમામ હિતધારકોનો આભાર માનીએ છીએ જેમણે જેટ એરવેઝને ફરીથી શરૂ કરવા માટે જાલાન-કાલરોક કન્સોર્ટિયમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ અંગે વધુમાં જણાવ્યું કે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ જેટ એરવેઝના પુનરુત્થાન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ માટે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ એરલાઇનને સફળ બનાવવા માટે વ્યૂહરચના વિકસાવવા માટે તમામ સત્તાવાળાઓ, ઉદ્યોગો અને હિતધારકો સાથે મળીને કામ કરશે.25 વર્ષથી વધુ સમય સુધી સતત ઉડાન ભર્યા પછી, જેટ એરવેઝ 17 એપ્રિલ, 2019 ના રોજ નબળી નાણાકીય સ્થિતિને કારણે બંધ કરવામાં આવી હતી. જૂન 2019 માં, કંપનીની નાદારીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. આ પછી, NTLT દ્વારા જાલાન-કાલરોક કન્સોર્ટિયમને આ એરલાઇનને ફરીથી શરૂ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ત્યારથી કોન્સોર્ટિયમ તેને ફરી શરુ કરવા માટે કામ કરી રહ્યું છે. આ માટે કંપનીએ કર્મચારીઓની ભરતી પણ કરી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here