Monday, February 24, 2025
HomeGujaratAhmedabadડભોઈ છત્રાલ ગામના લોકો ત્રણ દિવસથી ભૂખ્યાં-તરસ્યાં

ડભોઈ છત્રાલ ગામના લોકો ત્રણ દિવસથી ભૂખ્યાં-તરસ્યાં

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

અમદાવાદ, તા.૬
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ નદી અને નાળા છલકાઇ ગયા છે. જેને પગલે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા, ગામડી અને છત્રાલ ગામોમાં હજુ પણ કમરસમા પાણી ભરાયેલા છે. છત્રાલ ગામના ૩૦ ઘરોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે, જેથી અહીંના લોકો ભયંકર અને ત્રાહિમામભરી હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ લોકો પાસે ખાવા માટે અનાજ નથી. જેથી આ લોકો ભૂખ અને તરસ્યા જીવન વ્યતિત કરી રહ્યા છે. જા કે, કરૂણતા અને વરવી વાસ્તવિકતા એ છે કે, પાણીમાં ત્રણ દિવસથી ફસાયેલા આ લોકો સુધી હજુ સુધી તંત્ર પહોંચ્યુ નથી. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકના છત્રાલ ગામની નવીનગરી અને વસાહત વિસ્તારમાં ત્રણ દિવસથી કમર સુધી પાણી ભરાયેલા છે. અહીંના લોકોને જળચર પ્રાણીઓનો ડર સતત સતાવી રહ્યો છે. અહીંના લોકોને તંત્ર દ્વારા કોઇપણ જાતનું એલર્ટ આપવામાં આવ્યુ ન હતું. જેથી હવે કમર સુધી પાણી ભરાઇ જતાં લોકોને જાતે જ સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. અહીં લોકો ત્રણ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર અહીં ફરક્યું પણ નથી. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો-બિમાર લોકોની હાલત સૌથી કફોડી બની છે. તંત્રના આવા અમાનવીય અભિગમને લઇ સ્થાનિક લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, અમે લોકો ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા છીએ. અમારી પાસે પીવા માટે પાણી પણ નથી. છેલ્લા ત્રણ દિવસથી અમે કમરસુધીના પાણીમાં ફસાયેલા પડયા છીએ પરંતુ હજુ સુધી તંત્રના માણસો કે અધિકારીઓ અહીં ફરકયાં સુધ્ધાં નથી.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here