Friday, June 26, 2026
HomeGujaratAhmedabadડભોઈ છત્રાલ ગામના લોકો ત્રણ દિવસથી ભૂખ્યાં-તરસ્યાં

ડભોઈ છત્રાલ ગામના લોકો ત્રણ દિવસથી ભૂખ્યાં-તરસ્યાં

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ, તા.૬
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ નદી અને નાળા છલકાઇ ગયા છે. જેને પગલે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કનાયડા, ગામડી અને છત્રાલ ગામોમાં હજુ પણ કમરસમા પાણી ભરાયેલા છે. છત્રાલ ગામના ૩૦ ઘરોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે, જેથી અહીંના લોકો ભયંકર અને ત્રાહિમામભરી હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ લોકો પાસે ખાવા માટે અનાજ નથી. જેથી આ લોકો ભૂખ અને તરસ્યા જીવન વ્યતિત કરી રહ્યા છે. જા કે, કરૂણતા અને વરવી વાસ્તવિકતા એ છે કે, પાણીમાં ત્રણ દિવસથી ફસાયેલા આ લોકો સુધી હજુ સુધી તંત્ર પહોંચ્યુ નથી. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકના છત્રાલ ગામની નવીનગરી અને વસાહત વિસ્તારમાં ત્રણ દિવસથી કમર સુધી પાણી ભરાયેલા છે. અહીંના લોકોને જળચર પ્રાણીઓનો ડર સતત સતાવી રહ્યો છે. અહીંના લોકોને તંત્ર દ્વારા કોઇપણ જાતનું એલર્ટ આપવામાં આવ્યુ ન હતું. જેથી હવે કમર સુધી પાણી ભરાઇ જતાં લોકોને જાતે જ સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. અહીં લોકો ત્રણ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર અહીં ફરક્યું પણ નથી. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો-બિમાર લોકોની હાલત સૌથી કફોડી બની છે. તંત્રના આવા અમાનવીય અભિગમને લઇ સ્થાનિક લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, અમે લોકો ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા છીએ. અમારી પાસે પીવા માટે પાણી પણ નથી. છેલ્લા ત્રણ દિવસથી અમે કમરસુધીના પાણીમાં ફસાયેલા પડયા છીએ પરંતુ હજુ સુધી તંત્રના માણસો કે અધિકારીઓ અહીં ફરકયાં સુધ્ધાં નથી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here