Wednesday, March 12, 2025
HomeEntertainmentદિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું ગુરુવારે રાત્રે 73 વર્ષની વયે અવસાન થયું ,...

દિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું ગુરુવારે રાત્રે 73 વર્ષની વયે અવસાન થયું , લાંબા સમયથી હતા બીમાર

Date:

spot_img

Related stories

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ...

ગુજરાતી ફિલ્મના દર્શકોએ કાયમ નવા સબ્જેક્ટ વાળી ફિલ્મને દિલથી...

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...
spot_img

Famous actor Devraj Rai Passed away : દિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું ગુરુવારે રાત્રે 73 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કિડનીની બિમારીથી પીડિત હતા. સ્ટેજ, સિનેમા અને દૂરદર્શન પર ન્યૂઝરીડર તરીકે સેવા આપીને વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડનાર દેવરાજ રાયના નિધનથી સમગ્ર બંગાળ શોકમાં છે. તેમની પત્ની અનુરાધા રાય પણ લોકપ્રિય અભિનેત્રી છે.

મમતા બેનર્જીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, “દેવરાજ રાયનું બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં એક મોટું નામ હતું. તેમણે મશહૂર નિર્દેશકોની ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રશંસા મેળવી હતી. હું તેમને લાંબા સમયથી ઓળખતી હતી. તે ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.”

દેવરાજ રાયનો જન્મ 9 ડિસેમ્બર 1950ના રોજ થયો હતો. તેમણે 1970માં સત્યજીત રેની ફિલ્મ ‘પ્રતિદ્વંદ્વીથી અભિનયની શરૂઆત કરી હતી. એ પછી તેમણે 1971 માં મૃણાલ સેનની ‘કોલકાતા 71’ માં ભૂમિકા ભજવી હતી. જેમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

દેવરાજે તપન સિંહા, તરુણ મજુમદાર, વિભૂતિ લાહા જેવા તે યુગના મશહૂર નિર્દેશકો સાથે પણ કામ કર્યું હતું. તપન સિન્હાની ફિલ્મ ‘રાજા’માં તેમનો અભિનય હંમેશા યાદગાર રહેશે. આ ઉપરાંત 1973માં દિનેન ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મર્જીના અબ્દુલ્લા’માં મીતુ મુખર્જી સાથેની તેની જોડીએ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેમણે ભજવેલું પાત્ર અને મન્ના ડેનું ગીત આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે.

આ સાથે દેવરાજ રાયે માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ સ્ટેજ પર પણ પોતાની અભિનય આપી પ્રતિભા દેખાડી હતી. તેઓ દૂરદર્શન પર સમાચાર વાંચનમાં પણ ખૂબ લોકપ્રિય હતા. 1976માં તેમણે અભિનેત્રી અનુરાધા રાય સાથે લગ્ન કર્યા.

છેલ્લા કેટલાક સમયથી શારીરિક સમસ્યાઓના કારણે તેઓ મનોરંજનની દુનિયાથી દૂર હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે બિધાનનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ...

ગુજરાતી ફિલ્મના દર્શકોએ કાયમ નવા સબ્જેક્ટ વાળી ફિલ્મને દિલથી...

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here