Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadનર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૫૦ મીટરે પહોચી

નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૫૦ મીટરે પહોચી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ, તા.૬
રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમની સપાટી હાલ ૧૨૭.૫૦ મીટર ઉપર પહોંચી ગઇ છે અને પાણીની આવક હજુ પણ ૭૨,૯૬૪ ક્યુસેક થઇ રહી છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક અને જળસપાટી વધતાં રાજયના ખેડૂતઆલમમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને અને છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટી ૬ મીટર જેટલી વધી છે. આ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે. ગત વર્ષે પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર ૪૬.૨૦ એમસીએમ હતો તેની સામે આ વર્ષે ૨૬૩૯ એમસીએમ લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે અડધું અડધ ૪.૫ મિલિયન એકર ફિટ પાણી મળી શક્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર ૪૫૧ મી.મી. વરસાદ ખાબક્યો હતો. આ વર્ષે તેના કરતાં ડબલ વરસાદ વરસ્યો છે. હાલ પાણીની સપાટી ૧૨૭.૪૩ મીટર છે, ગત વર્ષે માત્ર ૧૧૧.૦૩ મીટર જ હતી. ૨૦૧૭માં નર્મદા ડેમના ગેટ બંધ થયા બાદ ઓવરફ્‌લો બંધ થયો હતો. નહીંતર આ વર્ષે ડેમ ૬ મીટરથી ઓવરફ્‌લો થયો હોત અને લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી ગયું હોત. સરકારની ઈચ્છા હતી કે, સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય, જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય. ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ ફાયદો થશે. જોકે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થઇ છે. ખેડૂતઆલમમાં ડેમની જળસપાટી વધતાં ખુશીની લાગણી પ્રસરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here