Tuesday, March 10, 2026
HomeGujaratVadodaraનવનાથ નગર તરીકે ઓળખાય છે ગુજરાતનું આ શહેર:નગરનું રક્ષણ કરે છે નવનાથ...

નવનાથ નગર તરીકે ઓળખાય છે ગુજરાતનું આ શહેર:નગરનું રક્ષણ કરે છે નવનાથ મહાદેવ, તમામ મંદિરોમાં એક સરખી પ્રતિમા; કાશી બાદ સૌથી વધુ શિવાલય, જાણો ઇતિહાસ

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

કહેવાય છે કે, જ્યાં શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. પરંતુ વડોદરા શહેરનો ઇતિહાસ કંઈક અલગ જ છે. શિવનગરી વડોદરામાં વર્ષોના 365 દિવસ શિવ આરાધનાની ધૂણી અવિરત જાગ્રત રહે છે. વડોદરાના નવનાથ મંદિરનો ઇતિહાસ ઋષિ વિશ્વામિત્ર જેટલો જ પ્રાચીન છે. વડોદરાની ફરતે આવેલા આ નવ મંદિર છેલ્લા હજારો વર્ષોથી આ શહેરની અને આ પ્રદેશની રક્ષા કરી રહ્યા છે.

તમામ નવ મંદિરોમાં એકસરખી પ્રતિમા
ભારતમાં અન્ય કોઈ સ્થળે શિવમંદિરોમાં ના જોવા મળે એવી એક વિશેષતા આ નવનાથ મંદિરોમાં છે. શિવલિંગની પાછળ પાર્વતીજીની પ્રતિમા વિશેષ રૂપમાં જોવા મળે છે. જેમાં માતાજીના ચાર હાથ અને એ પૈકી એક હાથમાં જમણી સૂંઢના ગણપતિજી બિરાજે છે. તો બીજા હાથમાં શિવલિંગ છે. તમામ નવ મંદિરમાં એકસરખી પ્રતિમા છે. સંતો, શાસ્ત્રોના જાણકારો અને અખાડાના મહંતોના મત અનુસાર આ પ્રતિમા સમગ્ર બ્રહ્માંડનું પાલનપોષણ કરતી શક્તિનું સાચુ સ્વરૂપ દર્શાવે છે. એક હાથમાં ગણપતિજી છે એટલે કે, વિઘ્નહર્તા અને કલ્યાણકારી શક્તિ છે. બીજા હાથમાં શિવલિંગ એટલે કે કરૂણા અને સંહાર બંને થાય છે.

કાશી બાદ વડોદરામાં સૌથી વધુ શિવાલય
આ અંગે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના પ્રણેતા નીરજ જૈને દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વડોદરાના રક્ષક દેવ એટલે નવનાથ મહાદેવ. વડોદરા શિવનગરી છે કારણ કે, કાશી પછી સૌથી વધુ શિવાલયો વડોદરામાં છે. નાના 1,142 અને મોટા 558 એટલે કે 1700 જેટલા શિવાલયો વડોદરામાં આવેલા છે. વડોદરાની ફરતે નવનાથ મહાદેવ આવેલા છે એટલે એ વડોદરા શહેરનું રક્ષણ કરી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ કે પછી ધરતીકંપની સ્થિતિ હોય કે પછી કોઈ મહામારી અનેક આફતમાં વડોદરાવાસીઓનું રક્ષણ નવનાથ મહાદેવ કરી રહ્યા છે.

આ શહેર નવનાથ નગરી તરીકે ઓળખ
તેમણે વધુમાં જણાવવ્યું હતું કે, વડોદરા શહેરનો દ્વાપરયુગથી ઇતિહાસ રહ્યો છે કેમ કે, વિશ્વામિત્રી નદી ઋષિ વિશ્વામિત્રીએ આપી છે. વડોદરામાંથી ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ઋષિએ આપ્યો હતો. વડોદરાના પાવાગઢથી કાયાવહોરણ સુધીનો વિસ્તાર શંકરવન તરીકે ઓળખાતો હતો. એટલું જ નહીં વિશ્વામિત્ર ઋષિનો તપોભંગ પણ કામનાથ મહાદેવ ખાતે થયો હતો. એટલે આ શહેર નવનાથ નગરી તરીકે ઓળખાય છે.

યોગનાથ, જાગનાથની વાર્તા વડોદરાના ઇતિહાસ સાથે જોડાયેલી
આ નગર પહેલાંના સમયમાં અંકોટક તરીકે પ્રચલિત થયું, બાદમાં વટપત્ર નગર અને આજે વડોદરા તરીકે જાણીતું થયું છે. યોગનાથ, જાગનાથ અને ત્રિશંકુની વાર્તા પણ વડોદરા શહેરના ઇતિહાસ સાથે જોડાયેલી છે. નવનાથ મહાદેવ વડોદરા નગર દેવતા છે. આ પવિત્ર શ્રાવણ માસમાં કાવળયાત્રાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આખા વિશ્વમાં માત્ર વડોદરામાં જ નવનાથ મહાદેવ છે.

નવનાથ વડોદરાની રક્ષા કરતાં આવ્યા છે
નાથ સંપ્રદાયના જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, વડોદરા નવનાથની નગરી તરીકે પણ ઓળખાય છે. આ શિવાલયોમાં ઋષિમુનિઓ તપ કરી ગયા હોવાનો ઇતિહાસ છે. શ્રાવણ માસમાં હજારો લોકો પગપાળા નવનાથના દર્શન કરવા જાય છે અને ધન્યતા અનુભવે છે. નવનાથ વડોદરાની રક્ષા કરતાં આવ્યા છે. આવનાર સમયમાં પણ રક્ષા કરતાં રહેશે. પવિત્ર શ્રાવણ માસમાં એક વખત દરેક શ્રધ્ધાળુઓ દર્શન કરે.

સિદ્ધનાથ મહાદેવ: શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા આ મંદિર પાસે વિશાળ તળાવ આવેલું છે અને એની સામે સિદ્ધનાથ મહાદેવ આવેલા છે. અહીં આવેલું તળાવ એટલું પવિત્ર ગણાતું હતું કે ઋષિ-મુનિઓ, સાધુ-સંતો અને શંકરાચાર્ય જીવનમાં એકવાર અચૂક આ તળાવમાં સ્નાન કરતા હતા. તળાવની બાજુમાં વાવ છે અને અહીં ભક્તોની મનોકામના સિદ્ધ થતી હોવાથી સિદ્ધનાથ નામ પડ્યું હતું.
રામનાથ મહાદેવ: શહેરના ગાજરાવાડી વિસ્તારનું આ મંદિર પણ તળાવ પાસે આવેલું છે અને બાજુમાં સ્મશાન છે. કહેવાય છે કે, જાતે ભગવાન રામચંદ્રજીએ અહીં આવીને રામનાથ મહાદેવનો અભિષેક કર્યો હતો, જેથી તેનું નામ રામનાથ મહાદેવ પડ્યું છે.
ઠેકરનાથ મહાદેવ: શહેરના ફતેપુરામાં ઠેકરનાથ મહાદેવમાં બે શિવલિંગ અને બે ગુંબજ છે. ખેડાવળા ઇષ્ટદેવ હોવાથી તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઠેકરનાથ મહાદેવની કૃપાથી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે.
મોટનાથ મહાદેવ: શહેરના હરણી વિસ્તારમાં આવેલા આ મંદિરમાં પાંડવોએ પૂજા કરી હોવાની લોકવાયકા છે. અહીં પૂજા-અર્ચનાથી વિશેષ મોહમાયાથી મન સાત્ત્વિક બને છે અને ઈચ્છા પૂરી થાય છે.
કામનાથ મહાદેવ: શહેરના કમાટીબાગ પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે આ મંદિર આવેલું છે. આ મંદિરમાં પ્રવેશતાં નીચે સાત ફૂટ ઊતરીને ગર્ભગૃહમાં જવું પડે છે. અહીં ઋષિ વિશ્વામિત્રના તેજ સાથે જોડાયેલી લોકવાયકા છે. અહીં વિશ્વામિત્ર ઋષિની મનોકામના પૂર્ણ થઈ હોવાથી કામનાથ મહાદેવ નામ પડ્યું છે.

ભીમનાથ મહાદેવ: શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર પણ વિશ્વામિત્રીના કિનારે છે તથા બાજુમાં સ્મશાન છે. પ્રાચીનકાળમાં હિડંબ નામનો રાક્ષસ હતો અને તેની બહેન હિડિમ્બાના લગ્ન ભીમ સાથે થયાં હતાં અને અહીં શિવલિંગની સ્થાપના થઈ હોવાનું મનાય છે, જેથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું છે.
કાશી વિશ્વનાથ: શહેરના જેતલપુર ચાર રસ્તાને અડીને આ મંદિર આવેલું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર ગોપાલરાવ મૈરાળે કરાવ્યો હતો. આ મહાદેવનાં દર્શન કરવાથી શાંતિની અનુભૂતિ થાય છે.જાગનાથ મહાદેવ: કલાલી ફાટક પાસે વિશ્વામિત્રીના કિનારે આવેલા આ મંદિરની બાજુમાં પણ સ્મશાન છે. અહી જ રાજકુમાર ત્રિશંકુએ યજ્ઞ કરીને સદેહે સ્વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો. એ સમયનું યાગનાથ આજે જાગનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.કોટનાથ મહાદેવ: વડસર ગામમાં આવેલા આ મંદિરની બાજુમાં પણ સ્મશાન છે. આ મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ જોવા મળે છે. આ મહાદેવનાં દર્શનથી કલ્યાણના માર્ગ પર આગળ વધી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here