Tuesday, May 13, 2025
HomeWorldપીએમ મોદી રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાએ ભરોસો દાખવતા કહી આ...

પીએમ મોદી રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાએ ભરોસો દાખવતા કહી આ મોટી વાત

Date:

spot_img

Related stories

17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર:ફાઇનલ 3 જૂને;...

17 મેથી ફરી IPL શરૂ થશે. લીગ સ્ટેજની બાકીની...

યુરેકા ફોર્બ્સે વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત ભારતને પ્રોત્સાહન આપવા...

આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપની યુરેકો ફોર્બ્સ...

હિંદુસ્તાન ઝિંકે ગ્રીન પ્રીમિયમ, મલ્ટી-મેટલ ફ્યુચરની યોજના બનાવી

ભારતની સૌથી મોટી ઝિંક અને સિલ્વર ઉત્પાદક હિંદુસ્તાન ઝિંક...

વીર પ્લાસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ...

બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે,...

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...
spot_img

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા તરફથી મોટું નિવેદન આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુદ્ધને રોકી શકે છે. તે હજુ પણ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે સમજાવી શકે છે. અમેરિકાએ પણ પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી છે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ બે દિવસ પહેલા રશિયાના બે દિવસીય પ્રવાસ પરથી પરત ફર્યા છે. ડોભાલે આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ લાંબી વાતચીત કરી હતી. ચાલો જાણીએ કે આ મુદ્દે યુએસ તરફથી શું કહેવામાં આવ્યું છે.

અમેરિકાએ શું કહ્યું?
વાસ્તવમાં શુક્રવારે વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે પીએમ મોદીની મધ્યસ્થી પર સવાલ ઉઠ્યા હતા. જવાબમાં જ્હોન કિર્બીએ કહ્યું, ‘મને લાગે છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો સમય છે. યુદ્ધ રોકવા માટે પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા પગલાને અમે સમર્થન આપીશું.

કિર્બીએ વધુમાં કહ્યું, ‘મને લાગે છે કે રશિયન રાષ્ટ્રપતિ પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો સમય છે અને માત્ર પીએમ મોદી જ તેમને આવું કરવા માટે રાજી કરી શકે છે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલવા માગતા હોય તો અમે તેમને તે કરવાની મંજૂરી આપીશું. પીએમ મોદીના પ્રયાસોને અમેરિકા આવકારશે.

જોન કિર્બીનું માનવું છે કે, પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી શકે છે અને તેમને આ યુદ્ધ રોકવા માટે મનાવી શકે છે, આમ કરવાથી બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ સમાપ્ત થઈ જશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે યુદ્ધનો યુગ નથી
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2022માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. PM મોદીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે ‘આજનો યુગ યુદ્ધનો યુગ નથી’.

17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર:ફાઇનલ 3 જૂને;...

17 મેથી ફરી IPL શરૂ થશે. લીગ સ્ટેજની બાકીની...

યુરેકા ફોર્બ્સે વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત ભારતને પ્રોત્સાહન આપવા...

આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપની યુરેકો ફોર્બ્સ...

હિંદુસ્તાન ઝિંકે ગ્રીન પ્રીમિયમ, મલ્ટી-મેટલ ફ્યુચરની યોજના બનાવી

ભારતની સૌથી મોટી ઝિંક અને સિલ્વર ઉત્પાદક હિંદુસ્તાન ઝિંક...

વીર પ્લાસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ...

બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે,...

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here