Friday, June 5, 2026
HomeWorldપીએમ મોદી રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાએ ભરોસો દાખવતા કહી આ...

પીએમ મોદી રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાએ ભરોસો દાખવતા કહી આ મોટી વાત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા તરફથી મોટું નિવેદન આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુદ્ધને રોકી શકે છે. તે હજુ પણ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે સમજાવી શકે છે. અમેરિકાએ પણ પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી છે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ બે દિવસ પહેલા રશિયાના બે દિવસીય પ્રવાસ પરથી પરત ફર્યા છે. ડોભાલે આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ લાંબી વાતચીત કરી હતી. ચાલો જાણીએ કે આ મુદ્દે યુએસ તરફથી શું કહેવામાં આવ્યું છે.

અમેરિકાએ શું કહ્યું?
વાસ્તવમાં શુક્રવારે વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે પીએમ મોદીની મધ્યસ્થી પર સવાલ ઉઠ્યા હતા. જવાબમાં જ્હોન કિર્બીએ કહ્યું, ‘મને લાગે છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો સમય છે. યુદ્ધ રોકવા માટે પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા પગલાને અમે સમર્થન આપીશું.

કિર્બીએ વધુમાં કહ્યું, ‘મને લાગે છે કે રશિયન રાષ્ટ્રપતિ પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો સમય છે અને માત્ર પીએમ મોદી જ તેમને આવું કરવા માટે રાજી કરી શકે છે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલવા માગતા હોય તો અમે તેમને તે કરવાની મંજૂરી આપીશું. પીએમ મોદીના પ્રયાસોને અમેરિકા આવકારશે.

જોન કિર્બીનું માનવું છે કે, પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી શકે છે અને તેમને આ યુદ્ધ રોકવા માટે મનાવી શકે છે, આમ કરવાથી બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ સમાપ્ત થઈ જશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે યુદ્ધનો યુગ નથી
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2022માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. PM મોદીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે ‘આજનો યુગ યુદ્ધનો યુગ નથી’.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here