Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadમહેસાણાના ડાભલા ચાર રસ્તા પર કારની ટક્કરે બે શ્રમજીવી મહિલાના કરુણ મોત

મહેસાણાના ડાભલા ચાર રસ્તા પર કારની ટક્કરે બે શ્રમજીવી મહિલાના કરુણ મોત

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ: મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર આજે વહેલી સવારે મજૂરીએ જઇ રહેલી બે શ્રમજીવી મહિલાઓને પૂરપાટઝડપે અને બેફામ રીતે કાર હંકારતા ઇકો કાર(GJ019 AM0978)ના ચાલકે અડફેટે લેતા મહિલાઓ રોડ ઉપર પટકાઇ હતી, બંને શ્રમજીવી મહિલાઓના ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ખાસ કરીને શ્રમજીવી આલમમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. રોષે ભરાયેલા શ્રમજીવી પરિવારના લોકોએ આરોપી કારચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેને સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. પોલીસે પણ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ જરુરી ગુનો દાખલ કરી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી. ઇકો કારચાલકે પોતાનું વાહન એટલી હદે બેફામ ચલાવી બંને શ્રમજીવી મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી કે, તેમાં બંને મહિલાઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં હંસાબેન નટવરલાલ પરમાર(ઉં.વ.55) અને ખેમીબેન નારણભાઈ પરમાર(ઉં.વ.60) નામની બંને શ્રમજીવી મહિલાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ બનાવની જાણ થતાં ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા. બીજીબાજુ, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. ત્યાર બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને મૃતક મહિલાઓ વસઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બંને શ્રમજીવી મહિલાઓ્ના મોતને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને શ્રમજીવી પરિવાર અ્ને તેમના વર્ગમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી , રોષે ભરાયેલા શ્રમજીવી લોકોએ આરોપી કારચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સખત નશ્યત કરવા ઉગ્ર માંગણી કરી હતી. જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here