Sunday, April 20, 2025
HomeGujaratસુરતમાં એકની એક પુત્રીના મોતથી વાતાવરણ ગમગીન બન્યું, જાણો કેમ ભર્યું અંતિમ...

સુરતમાં એકની એક પુત્રીના મોતથી વાતાવરણ ગમગીન બન્યું, જાણો કેમ ભર્યું અંતિમ પગલું?

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સુરત : સુરતના પાંડેસરામાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના માતા-પિતા કામ પર ગયા હતા ત્યારે કિશોરીએ અંતિમ પગલું ભરી લીધું હતું.નવી સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પાંડેસરા જય અંબેનગરમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની મહેશભાઇ ભીખુ રામનીની 13 વર્ષીય પુત્રી રોશનીએ સોમવારે બપોરે ઘરમાં છતની હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

તેના પિતાએ ઘરે આવીને જોતાં પુત્રી ફાંસો ખાધેલી હાલતમાં જણાય હતી. ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ કરતા તે ઘટનાસ્થળે ધસી આવી હતી. સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું હતું કે મહેશભાઇ વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા છે.તેની એકની એક 13 વર્ષીય પુત્રી રોશની ઘર નજીક આવેલી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે દિવસભર માતા-પિતા સચિન જીઆઇડીસીમાં કામ પર ગયા હતા ત્યારે જ રોશનીએ સાંજના પાંચથી સાત વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર રૂમમાં પંખા સાથે દોરી બાંધી અંતિમ પગલું ભરી લીધું હતું. પરિવારે એકની એક પુત્રી ગુમાવી દેતાં માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. રોશની ગળાની બીમારીથી પીડાતી હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. પાંડેસરા પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો વતની અને હાલ પાંડેસરા ભેદવાડ સ્થિત પ્રેમનગરમાં રહેતો 25 વર્ષીય અપરિણીત અમૂલ બાલુભાઇ થોરાત છેલ્લા કેટલાક સમયથી બેકાર જીવન ગુજારતો હતો. અમૂલે બેકારીના કારણે સોમવારે સાંજેના પાંચ વાગ્યાના અરસામાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રૂમની છત પર લગાવેલી એંગલ સાથે વાદળી કલરની સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પાંડેસરા પોલીસને જાણ કરાતા પોલીસે પણ અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here