Friday, June 26, 2026
HomeGujaratસુરતમાં એકની એક પુત્રીના મોતથી વાતાવરણ ગમગીન બન્યું, જાણો કેમ ભર્યું અંતિમ...

સુરતમાં એકની એક પુત્રીના મોતથી વાતાવરણ ગમગીન બન્યું, જાણો કેમ ભર્યું અંતિમ પગલું?

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

સુરત : સુરતના પાંડેસરામાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના માતા-પિતા કામ પર ગયા હતા ત્યારે કિશોરીએ અંતિમ પગલું ભરી લીધું હતું.નવી સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પાંડેસરા જય અંબેનગરમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની મહેશભાઇ ભીખુ રામનીની 13 વર્ષીય પુત્રી રોશનીએ સોમવારે બપોરે ઘરમાં છતની હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

તેના પિતાએ ઘરે આવીને જોતાં પુત્રી ફાંસો ખાધેલી હાલતમાં જણાય હતી. ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ કરતા તે ઘટનાસ્થળે ધસી આવી હતી. સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું હતું કે મહેશભાઇ વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા છે.તેની એકની એક 13 વર્ષીય પુત્રી રોશની ઘર નજીક આવેલી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે દિવસભર માતા-પિતા સચિન જીઆઇડીસીમાં કામ પર ગયા હતા ત્યારે જ રોશનીએ સાંજના પાંચથી સાત વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર રૂમમાં પંખા સાથે દોરી બાંધી અંતિમ પગલું ભરી લીધું હતું. પરિવારે એકની એક પુત્રી ગુમાવી દેતાં માતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. રોશની ગળાની બીમારીથી પીડાતી હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. પાંડેસરા પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો વતની અને હાલ પાંડેસરા ભેદવાડ સ્થિત પ્રેમનગરમાં રહેતો 25 વર્ષીય અપરિણીત અમૂલ બાલુભાઇ થોરાત છેલ્લા કેટલાક સમયથી બેકાર જીવન ગુજારતો હતો. અમૂલે બેકારીના કારણે સોમવારે સાંજેના પાંચ વાગ્યાના અરસામાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રૂમની છત પર લગાવેલી એંગલ સાથે વાદળી કલરની સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પાંડેસરા પોલીસને જાણ કરાતા પોલીસે પણ અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here