Friday, June 5, 2026
Homenationalબીકેસીમાં બુલેટ ટ્રેનની જગ્યા પર મેટ્રો કારશેડ ખસેડાશે?

બીકેસીમાં બુલેટ ટ્રેનની જગ્યા પર મેટ્રો કારશેડ ખસેડાશે?

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મુંબઈ: કાજુંરમાર્ગ ખાતે મેટ્રો કારશેડ ઊભો કરવાના કામને હાઈ કોર્ટે સ્થાગિતી આપી છે. કારશેડની જમીન અંગેનો વિવાદ હવે કોર્ટમાં લાંબા સમય સુધી ચાલવાની શકયતા છે. આને કારણે મેટ્રોના કામમાં વિલંબ થવાની શકયતા છે. આનો સીધો ફટકો મુંબઈગરાઓને પડશે. આમ ન થાય તે માટે બીકેસીમાં બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત જગ્યા પર કારશેડ ઊભો કરવાની વિચારણા સરકાર કરી રહી છે, એવું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.મેટ્રોનો આ પ્રોજેકટ મુંબઈગરાઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. લોકલ ટ્રેન પર પ્રવાસીઓનો બોજ વધી રહ્યો હોવાથી મેટ્રો ટ્રેન દોડાવવાની આવશ્યકતા ઊભી થઇ છે. કાંજુરમાર્ગની જગ્યામેટ્રો કારશેડ માટે આપવાના જિલ્લાધિકારીના આદેશને મુંબઈ હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે. આને પગલે કાંજુરમાર્ગની જગ્યા પર શરૂ મેટ્રો કારશેડનું કામ તાત્કાલીક બંધ કરાવવામાં આવ્યું છે. આ કેસ હવે લાંબા સમય સુધી કોર્ટમાં ચાલશે, પરિણામે તેની અસર મેટ્રોના કામ પર થશે. આને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર બીકેસીમાં બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત જગ્યા પર કારશેડ ખસેડવાની વિચારણા કરી રહી છે.કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટના કામમાં કોરોનાના સંકટ વચ્ચે વિલંબ થઇ રહ્યો છે. આ પ્રોજેકટ માટે ૬૩ ટકા જમીન સંપાદિત કરીને તાબામાં લેવામાં આવી છે. આમાં ગુજરાતની ૭૭ ટકા, દાદરા નગર હવેલીની ૮૦ ટકા અને મહારાષ્ટ્રની ૨૨ ટકા જમીનનો સમાવેશ છે. જોકે, મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા ક્ષેત્રમાં જમીન સંપાદિત કરવામાં સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં બીકેસીમાં બુલેટ ટ્રેન માટે પ્રસ્તાવિત જગ્યા પર હવે મેટ્રો-થ્રીનો કારશેડ ખસેડવાનો ગંભીરતાપૂર્વક વિચાર થઇ રહ્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here