Wednesday, March 11, 2026
HomeAhmedabadCorona: ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેંદ્ર એલર્ટ, 8 રાજ્યોને લઇને વ્યક્ત કરી...

Corona: ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેંદ્ર એલર્ટ, 8 રાજ્યોને લઇને વ્યક્ત કરી ચિંતા

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

નવી દિલ્હી:  કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પર્યટન સ્થળો અને હિલ સ્ટેશનોવાળા આઠ રાજ્યોને સર્તકતા વર્તતા કોરોના વાયરસ ના પ્રસારથી બચવા માટે સખત કોવિડ ઉપયુક્ત વ્યવહારનું પાલન કરવા માટે કહ્યું છે. કેંદ્રીય ગૃહ સચિવ ભલ્લાએ એક બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર Covid-19 ને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા ભરવામાં આવેલા પગલાંની સમક્ષા કરી હતી.કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ વાત પર ભાર મૂક્યો કે Covid-19 ની બીજી લહેર હજુ સમાપ્ત થઇ નથી. એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે. આ બેઠક દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળમાં કોવિડ 19 ની હાલની સ્થિતિના મેનેજમેન્ટ તથા લોકોના રસીકરણ (Corona Vaccine) ની તાજી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.કેંદ્રીય ગૃહ સચિવે હિલ સ્ટેશનો અને અન્ય પર્યટન સ્થળોમાં કોવિડ ઉપયુક્ત વ્યવહારની અવગણના દર્શાવનાર મીડિયા રિપોર્ટને ધ્યાનમાં રાખતા લોકોને સાવધાની વર્તવા કહેવામાં આવ્યું. તેમણે એ પણ કહ્યું કે રાજ્યોને પોતાની તરફ પહેલ કરતં લોકો દ્વારા માસ્ક પહેરવા, સામાજીક અંતર જાળવવા જેવા બચાવ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા જોઈએ. વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજી લહેર નબળી પડી રહી છે અને સમગ્ર સંક્રમણ દર પણ ઘટ્યો છે, પરંતુ રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળના ઘણા જિલ્લામાં હજુ પણ સંક્રમણ દર 10 ટકાથી વધુ છે. જે નિશ્વિતપણે ચિંતાનો વિષય છે.ગૃહ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં રાજ્યોને પાંચ સ્તરીય રણનીતિ અપનાવવાનું કહેવામાં આવ્યું છે. તેમાં ટેસ્ટિંગ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, સારવાર, રસીકરણ અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરવું સામેલ છે. મંત્રાલયે 29 જૂને આ સંબંધમાં એક આદેશ પણ જારી કર્યો હતો. ભવિષ્યમાં કોવિડના કેસમાં સંભવિત વધારાનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય સંબંધી પર્યાપ્ત પાયાની સુવિધાઓ (ખાસકરીને ગ્રામીણ, આદિવાસી અને જનજાતીય વિસ્તારોમાં) તૈયાર કરવાની પણ સલાહ આપી. 

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here