Thursday, July 16, 2026
HomeEntertainment“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ દયાળુ બનાવે,” કહે છે...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ દયાળુ બનાવે,” કહે છે ઈશા સિંહ, કલર્સના ‘જુહી મુઈ’ પરથી

Date:

Related stories

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક વાર્તાઓ માત્ર મનોરંજનથી ક્યાંય આગળ જાય છે. દિલ્હીની રંગીન દુનિયામાં સેટ આ શો જુહી સૂરી (ઈશા સિંહ દ્વારા ભજવાયેલ) નામની એક હળવી ઓટિસ્ટિક યુવતીની વાર્તા છે, જેની અસાધારણ કાનૂની સમજ સમાજના “નોર્મલ” કહેવાતા વિચારોને પડકાર ફેંકે છે. પરિવાર, દુઃખ, કાયદો અને પ્રેમની વચ્ચે જુહીની યાત્રાએ દર્શકોમાં સહાનુભૂતિ, સમાવેશન (ઇન્ક્લુઝન) અને સ્વીકાર્યતા પર ઊંડી ચર્ચા શરૂ કરી દીધી છે. ઈશા સિંહ, સંજય સૂરી, વિજયેન્દ્ર કુમેરિયા, સાઈ દેવધર, અયૂબ ખાન અને ક્રુશાગ ઘુગે જેવા કલાકારોથી સજ્જ જુહી મુઈએ દર્શકોના દિલ જીતી લીધા છે. ઈશા સિંહ જણાવે છે જુહી બનવાનો અનુભવ, એક ઓટિસ્ટિક પાત્રને પ્રામાણિકતા અને સંવેદનશીલતાથી ભજવવાની જવાબદારી, અને કેમ આ સફર તેમની કરિયરનો સૌથી યાદગાર અનુભવ બની ગઈ.

1. હવે જ્યારે જુહી મુઈ ઓન એર છેદર્શકોનો પ્રતિસાદ કેવો રહ્યો?

A. સાચું કહું તો હું ખૂબ જ ખુશ છું. શો ઓન એર થતાં પહેલાં હું ઉત્સાહિત હતી પણ એટલી જ નર્વસ પણ હતી, કારણ કે ‘જુહી મુઈ’ એક સામાન્ય શો નથી અને જુહી પણ એક સામાન્ય ટીવી પાત્ર નથી. મને સતત એવું લાગતું હતું કે લોકો તેને કેવી રીતે સ્વીકારશે. પરંતુ જે પ્રેમ મળ્યો છે, તે ખૂબ જ ભાવુક કરી દેનારો છે. દર્શકોના સંદેશા દિલને સ્પર્શી જાય તેવા રહ્યા છે, ખાસ કરીને જ્યારે તેઓ કહે છે કે તેમણે જુહી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવ્યું. મારા માટે સૌથી મોટો કોમ્પ્લીમેન્ટ એ છે જ્યારે લોકો કહે છે કે તેમણે જુહીના ઓટિઝમને જોવાનું બંધ કરી દીધું અને ફક્ત જુહીને જોઈ. આ જ તો અમારો સૌથી મોટો પ્રયાસ હતો. મને ખરેખર આશીર્વાદ જેવું લાગે છે કે અમે ટીવી પર આવી વાર્તા લાવી શક્યા, કારણ કે આવા શો ખૂબ ઓછા આવે છે.

2. જુહી વિશે જણાવો અને આ પાત્ર તમારા માટે આટલું ખાસ કેમ રહ્યું?

A. જુહી હંમેશાં મારા દિલમાં એક ખૂબ જ ખાસ જગ્યા રાખશે કારણ કે તે મેં પહેલાં ભજવેલા કોઈપણ પાત્ર કરતાં સાવ અલગ છે. જુહીના નામથી યાદ રાખવામાં આવવું મારા માટે સન્માનની વાત હશે. તે ખૂબ જ બુદ્ધિશાળી છે, ભાવનાત્મક રીતે પ્રામાણિક છે અને દુનિયાને પોતાના અનોખા દ્રષ્ટિકોણથી જુએ છે. તે સમાજના “નોર્મલ” માપદંડોમાં ફિટ થવાનો પ્રયત્ન નથી કરતી, પરંતુ પોતાની જાત પ્રત્યે સચ્ચાઈ રાખે છે. આ જ બાબત મને તેનામાં સૌથી વધુ ગમે છે. સૌથી મોટી ઈચ્છા એ જ હતી કે દર્શકો લેબલ્સથી આગળ વધીને જુહીને જુએ – તેની બુદ્ધિમત્તા, તેની દયાળુતા, તેની નિર્દોષતા અને તેની તાકાત. તેની યાત્રા દ્વારા હું ઈચ્છું છું કે લોકો સમજે કે અલગ હોવું એ નબળા હોવું નથી, પરંતુ દુનિયાને અલગ નજરે જોવી છે.

3. તમે એ ભૂમિકા માટે કેવી રીતે તૈયારી કરી જેમાં આટલી સંવેદનશીલતાની જરૂર હતી?

A. મેં જુહીની તૈયારી શૂટિંગ શરૂ થવાના ઘણા સમય પહેલાં જ કરી દીધી હતી. ઘણી વર્કશોપ્સ થઈ, મેં ઓટિઝમ પર ઘણું રિસર્ચ કર્યું અને ઓટિસ્ટિક લોકોને મળી પણ ખરી જેથી તેમના અનુભવોને વધુ સારી રીતે સમજી શકું. આ પાત્ર ભજવવું એ બહુ મોટી જવાબદારી હતી. મારો ઈરાદો એવો હતો કે જુહીને પ્રામાણિકતા અને સહાનુભૂતિ સાથે રજૂ કરું. તૈયારી દરમિયાન મેં જાણ્યું કે ઓટિસ્ટિક લોકો કેવી રીતે સંવાદ કરે છે, તેમને શું શાંતિ આપે છે, શું તેમને પરેશાન કરે છે અને તેઓ રોજિંદી પરિસ્થિતિઓને કેવી રીતે અનુભવે છે. મારો હેતુ સ્ટીરિયોટાઈપ્સ (રૂઢિચુસ્ત વિચારો) તોડવાનો હતો. જુહીના દરેક પોઝ (અટકવું), દરેક એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ અને હાવભાવને સાચા દર્શાવવા જરૂરી હતા. જુહીનું પાત્ર ભજવવું એ મારી કરિયરનો સૌથી પડકારજનક અને સંતોષકારક અનુભવ રહ્યો છે કારણ કે આણે મને લોકોને વધુ ઊંડાણપૂર્વક જોતા અને સમજતા શીખવ્યું.

4. જુહીનું પાત્ર ભજવવામાં સૌથી મુશ્કેલ ભાગ કયો હતો?

A. સાચું કહું તો જુહીનું દરેક પાસું પડકારજનક હતું. તે ખુશી, દુઃખ, ગમ કે પ્રેમ બધું જ અલગ રીતે વ્યક્ત કરે છે. આપણા માટે લાગણીઓ વ્યક્ત કરવી સહજ હોય છે, પરંતુ જુહી તેમને અનોખી શૈલીમાં અનુભવે છે અને વ્યક્ત કરે છે. એ ભાવનાત્મક દુનિયાને સમજવામાં ખૂબ મહેનત લાગી. દરેક એક્સપ્રેશન, દરેક પોઝ, દરેક રિએક્શન સાચું લાગવું જરૂરી હતું કારણ કે સૌથી નાની વિગત પણ મહત્વ રાખતી હતી. આ પાત્રએ એક કલાકાર તરીકે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી, પરંતુ આ જ અનુભવ મારી કરિયરના સૌથી રીવોર્ડિંગ (ફળદાયી) અનુભવોમાંથી એક બની ગયો.

5. જુહી પોતાના પિતા સાથે બહુ જ સુંદર સંબંધ શેર કરે છે. સંજય સૂરી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

A. સંજય સર સાથે કામ કરવું સાચું કહું તો મારા માટે સૌથી મોટી શીખ સમાન રહ્યું. જુહી અને રાજેન્દ્રના સંબંધની સૌથી સારી વાત એ છે કે તે સ્વીકાર્યતા પર આધારિત છે. તેઓ જુહીને બદલવાનો પ્રયત્ન નથી કરતા, બસ તેને સમજે છે અને તે જેવી છે તે જ સ્વરૂપમાં તેને પ્રેમ કરે છે. ઓફ સ્ક્રીન પણ સંજય સર દરેક સીનમાં એટલી હૂંફ અને પ્રામાણિકતા લાવે છે. અમારી ઘણી પળો સંવાદો કરતાં વધુ મૌન પર આધારિત હતી. તેમના જેવા સ્તરના કલાકાર સાથે સ્ક્રીન શેર કરવી એ આપોઆપ તમને વધુ સારા બનાવી દે છે. હું ખરેખર આભારી છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી.

6. શું જુહીને ભજવવાથી તમારામાં કોઈ બદલાવ આવ્યો?

A. બિલકુલ. આ શોએ મને માત્ર એક કલાકાર તરીકે જ નહીં પરંતુ એક માણસ તરીકે પણ ઘણું બધું શીખવ્યું. તેણે અહેસાસ કરાવ્યો કે આપણે બધા થોડા વધુ દયાળુ અને સમજદાર બની શકીએ છીએ. ઘણીવાર આપણે જાણ્યા વગર જ લોકોને જજ કરી લઈએ છીએ. આ વાર્તા દર્શાવે છે કે સહાનુભૂતિ કોઈનો અનુભવ સંપૂર્ણપણે બદલી શકે છે. મને ખરેખર બહુ ભાગ્યશાળી અનુભવ થાય છે કે મને જુહી જેવું પાત્ર ભજવવાની તક મળી, કારણ કે તે લાંબા સમય સુધી મારી સાથે રહેશે. એક મેસેજ હું ક્યારેય નહીં ભૂલું – એક માતાએ જણાવ્યું કે તેમના ઓટિસ્ટિક દીકરા સાથે બાળકો રમતા નહોતા કારણ કે લોકો માનતા હતા કે ઓટિઝમ ચેપી છે. આ સાંભળીને મને બહુ ઊંડી અસર થઈ. આ વાત યાદ અપાવે છે કે જુહી મુઈ જેવી વાર્તાઓ કેમ મહત્વ ધરાવે છે અને જાગૃતિ વધારવી કેમ જરૂરી છે. હું ઈચ્છું છું કે આ શો દુનિયાને વધુ દયાળુ બનાવે.

7. તમે શું ઈચ્છશો કે દર્શકો જુહી મુઈમાંથી શું શીખે અથવા શું સાથે લઈ જાય?

A. હું બસ એ જ ઈચ્છું છું કે લોકો જુહીને એ જ પ્રેમ આપતા રહે જે અત્યાર સુધી આપ્યો છે. જો દર્શકો એક વસ્તુ સાથે લઈ જાય તો તે એ હોવી જોઈએ કે લોકો તરફ થોડી વધુ સહાનુભૂતિ રાખે અને થોડું ઓછું જજ કરે. બસ એટલું જ કહીશ – જુહીને ખુલ્લા દિલથી મળજો. હું વચન આપું છું કે તમે હસશો, શીખશો અને દરેક એપિસોડ પછી કદાચ તમારા દ્રષ્ટિકોણ પર પણ વિચારશો. જો જુહી મુઈએ સ્વીકાર્યતા, સમાવેશન અને દયાળુતા પર થોડી ચર્ચા શરૂ કરી દીધી, તો મને લાગે છે કે અમે કંઈક સાર્થક હાંસલ કર્યું છે.

જુહી મુઈ જુઓ, દર સોમવારથી શુક્રવાર રાત્રે 9:30 વાગ્યે ફક્ત કલર્સ અને જીઓહોટસ્ટાર પર.

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here