Sunday, March 8, 2026
HomenationalWHOએ મલેરિયાની પહેલી વેક્સિનને મંજૂરી આપી, આફ્રિકી દેશોમાં શરૂઆત થશે

WHOએ મલેરિયાની પહેલી વેક્સિનને મંજૂરી આપી, આફ્રિકી દેશોમાં શરૂઆત થશે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

દુનિયામાં મલેરિયાની પહેલી વેક્સિન RTS,S/AS01ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મંજૂરી આપી દીધી છે. મલેરિયાના સૌથી વધુ પ્રભાવી આફ્રિકી દેશોમાં વેક્સિનની શરૂઆત થશે. ત્યાર બાદ WHOનું ફોકસ દુનિયાભરમાં મલેરિયા વેક્સિન બનાવવા માટે ફન્ડિંગ ભેગું કરવાનું હશે, જેથી એ દરેક દેશ સુધી પહોંચી શકે.ત્યાર બાદ સંબંધિત દેશોની સરકાર નક્કી કરશે કે મલેરિયાને કંટ્રોલ કરવાના પ્રયત્નોમાં વેક્સિનને સામેલ કરે છે કે નહીં. WHOએ કહ્યું હતું કે મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત દેશો માટે વેક્સિન મોટી આશા લઈને આવી છે.5 વર્ષ સુધીનાં બાળકોને મલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે. દર બે મિનિટે એક બાળક મલેરિયાથી મૃત્યુ પામે છે. મલેરિયાથી 2019માં વિશ્વભરમાં 4.09 મિલિયન લોકોનાં મોત નોંધાયાં હતાં, જેમાંથી 67 ટકા 5 વર્ષથી ઓછી વયનાં બાળકો હતાં. ભારતમાં 2019માં મલેરિયાના 3 લાખ 38 હજાર 494 કેસ નોંધાયા હતા અને 77 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ મલેરિયાથી મૃત્યુ થયાં છે, 2015માં 384 મૃત્યુ નોંધાયા હતા. ત્યારથી મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો થયો છે.મલેરિયાની વેક્સિન RTS,S/AS01નો ઉપયોગ 2019માં ઘાના, કેન્યા અને માલાવીમાં પાયલોટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. 23 લાખ બાળકોને આપવામાં આવેલી વેક્સિનનાં પરિણામોના આધારે WHOએ હવે આ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું ઉત્પાદન સૌપ્રથમ GSK કંપનીએ 1987માં કર્યું હતું.પાયલોટ પ્રોજેક્ટનાં પરિણામો પ્રમાણે મલેરિયાની વેક્સિન સુરક્ષિત છે અને એનાથી 30% ગંભીર કેસ રોકી શકાય છે. જે બાળકોને વેક્સિન આપવામાં આવી એમાંથી બે તૃતીયાંશ બાળકો એવાં હતાં જેમના પાસે મચ્છરદાની નહોતી. એ પણ સામે આવ્યું છે કે મલેરિયાની વેક્સિનથી બીજી વેક્સિન્સ તથા મલેરિયા રોકવાના અન્ય ઉપાયો પર કોઈ નેગેટિવ અસર નથી થતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here