Monday, March 9, 2026
HomeAhmedabadસંસદથી શેરબજાર સુધી સંગ્રામ : કોર્પોરેટ ગવર્નન્સ મુદ્દે પ્રશ્નાર્થ

સંસદથી શેરબજાર સુધી સંગ્રામ : કોર્પોરેટ ગવર્નન્સ મુદ્દે પ્રશ્નાર્થ

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

મુંબઈ : અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના અદાણી જૂથ પર ગંભીર આક્ષેપોના પગલે અદાણી જૂથના શૅરોમાં પાંચ દિવસથી ચાલી રહેલા કડાકાથી જૂથના શૅરોમાં અંદાજે ૧૦૮ અબજ ડોલર એટલે કે રૂ. ૮,૭૬,૫૨૫ કરોડનું ધોવાણ થયું છે, જે ભારતના શૅરબજારના ઈતિહાસમાં કોઈપણ કંપનીનું સૌથી મોટું ધોવાણ છે. છેલ્લા એક સપ્તાહમાં જૂથને થયેલા અબજો-કરોડો રૂપિયાના નુકસાન પછી અંતે અબજોપતિ ગૌતમ અદાણી આગળ આવ્યા અને કહ્યું કે, બજારની ઊથલ-પાથલના કારણે જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ફુલ્લી સબસ્ક્રાઈબ થયેલા રૂ. ૨૦,૦૦૦ કરોડના એફપીઓને રદ કરવાનો નિર્ણય બુધવારે લેવાયો હતો. બીજીબાજુ અદાણી જૂથ પર સ્ટોક સાથે ચેડાં કરવાના અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના આક્ષેપો મુદ્દે ગુરુવારે સંસદમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. વિપક્ષે અદાણી જૂથ પર જેપીસી અથવા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ પંચ રચવાની માગણી કરી છે.  અમેરિકન શોર્ટ સેલર અને રિસર્ચ કંપની હિન્ડેનબર્ગે ગયા બુધવારે એક રિપોર્ટમાં દાવો કર્યો કે અદાણી ગ્રુપ દાયકાઓથી ખુલ્લં-ખુલ્લા શૅરોમાં ગડબડ કરે છે અને તે એકાન્ટિંગ છેતરપિંડી કરી રહ્યું છે. હિન્ડેનબર્ગના ૧૦૬ પનાના આ રિપોર્ટ પછી બુધવારથી જ અદાણીના શૅરોમાં અબજો રૂપિયાનો કડાકો બોલાવાનું શરૂ થયું છે, જે ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. શૅરબજારમાં આજે અદાણી જૂથની ૧૦ લિસ્ટેડ કંપનીઓના શૅરો ૨.૭ ટકાથી લઈને ૨૮ ટકાથી વધુ તૂટયા હતા. કંપનીના શૅરોમાં આવેલા કડાકા પછી અદાણી જૂથે તેની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિ.નો બુધવારે ફુલ્લી સબસ્ક્રાઈબ થયેલો રૂ. ૨૦,૦૦૦ કરોડનો એફપીઓ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન અંદાણી જૂથ પર હિન્ડેનબર્ગના આક્ષેપોના પડઘા ગુરુવારે સંસદમાં પડયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ગૌતમ અદાણીને પીએમ મોદીના ‘મિત્ર’ ગણાવતા વિપક્ષે હિન્ડેનબર્ગના અહેવાલોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મારફત તપાસ કરાવવાની માગણી કરી હતી. આ મુદ્દે ગુરુવારે સંસદના બંને ગૃહો વારંવાર બંધ રહ્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો કે, સરકાર એલઆઈસી, એસબીઆઈ અને અન્ય જાહેર સંસ્થાઓ પર અદાણી જૂથમાં કથિત રૂપે બળજબરીથી રોકાણ કરવાની તપાસથી ડરતી હોવાથી સંસદના બંને ગૃહો સ્થગિત કરી દીધા હતા. સંસદમાં વિપક્ષના હોબાળાની અસર પણ શૅરબજારમાં અદાણીના શૅરો પર જોવા મળી હતી.આ બધા હોબાળા વચ્ચે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કંપનીના બોર્ડના આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, બજારમાં હાલ જોવા મળી રહેલી ભારે વોલેટિલિટીને ધ્યાનમાં રાખતા રોકાણકારો પાસેથી ઊંચી કિંમત વસુલવી નૈતિક રીતે અયોગ્ય છે. ગ્રુપના સૂત્રોએ કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઈઝના શૅર ખુલ્લા બજારમાં રૂ. ૧૫૬૫.૨૫ના ભાવે મળી રહ્યો હોય ત્યારે કંપનીમાં રૂ. ૩,૧૧૨-૩,૨૭૬ની પ્રાઈસ બેન્ડથી એફપીઓમાં રોકાણ કરીને રોકાણકારો પોતે છેતરાયા હોવાનો અનુભવ કરી શકે છે. આથી એફપીઓ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.ગૌતમ અદાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિક તરીકે ચાર દાયકાના મારા પ્રવાસમાં મને રોકાણકાર કોમ્યુનિટી સહિત બધા જ હિસ્સેદારોનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે. મારા માટે મારા રોકાણકારોના હિત સર્વોચ્ચ છે અને બાકી બધું ત્યાર પછી આવે છે. તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે એફપીઓ રદ કરવામાં આવ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ રદ કરવાના નિર્ણયની જૂથની કંપનીઓ પર વિપરિત અસર પડી હતી અને આજે પણ અદાણી જૂથની કંપનીઓમાં ગાબડાં યથાવત્ રહ્યા હતા. જેને પગલે ગ્રુપનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની સંપતિનું આજે એક દિવસમાં વધુ રૂ.૧,૩૨,૭૬૪ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. જે છેલ્લા છ દિવસમાં ૧૦૦  અબજ ડોલરથી વધુ એટલે કે રૂ.૮,૭૬,૫૨૫ કરો ડ ધોવાઈ જઈને રૂ.૧૦,૪૩,૩૬૩ કરોડના તળીયે આવી ગયું હતું. અદાણી જૂથમાં ગુરુવારે અદાણી એન્ટરપ્રાઈસીઝ લિમિટેડનો શેર વધુ ૨૬.૭૦ ટકા તૂટીને રૂ.૧૫૬૫.૨૫, આવી ગયો હતો. જ્યારે  અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ ૬.૧૩ ટકા એટલે કે રૂ.૩૦.૧૫ ઘટીને રૂ.૪૬૨, અદાણી પાવર પાંચ ટકા રૂ.૧૦.૬૦ તૂટીને રૂ.૨૦૨.૧૫, અદાણી ટ્રાન્સમિશન ૧૦ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૭૩ તૂટીને રૂ.૧૫૫૭.૨૫, અદાણી ગ્રીન એનજીૅ ૧૦ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૧૫.૩૦ તૂટીને રૂ.૧૦૩૮.૦૫, અદાણી ટોટલ ગેસ લિ, ૧૦ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૯૦.૧૫ તૂટીને રૂ.૧૭૧૧.૫૦, અદાણી વિલમર પાંચ ટકા નીચલી સર્કિટમાં રૂ.૨૨.૧૫ ઘટીને રૂ.૪૩૧.૪૫, એનડીટીવી લિ. પાંચ ટકા નીચલી સર્કિટમાં રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૨૨૨.૮૫ રહ્યા હતા. જોકે, આજે શૅરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં બજારમાં પીછેહઠ જોવા મળી હતી. પરંતુ ત્યાર પછી લોકલ ફંડોની લેવાલીએ બજાર પોઝિટિવ ઝોનમાં રહ્યું હતું. અલબત અંબુજા સિમેન્ટ અને સબસીડિયરી એસીસી લિમિટેડના શેરો અદાણી દ્વારા ફાઈનાન્સ મેળવવા માટે ગીરવે મૂકાયાના વહેતા થયેલા અહેવાલોનું ગ્રુપ દ્વારા ખંડન કરવામાં આવતા તથા પ્રમોટર્સ દ્વારા માત્ર આ શેરો વેચવામાં નહીં આવે એ સંબંધિત નોન-ડિસ્પોઝલ અન્ડરટેકિંગ આપ્યું હોવાનું જણવાતા અંબુજા સિમેન્ટ અને એસીસીમાં ઘટાડો અટક્યો હતો અને અંબુજા સિમેન્ટ્સ ૫.૩૩ ટકા એટલે કે રૂ.૧૭.૮૫ વધીને રૂ.૩૫૨.૪૫, એસીસી ૯૫ પૈસા વધીને રૂ.૧૮૪૫.૩૫ બંધ રહ્યા હતા.  બીજીબાજુ અદાણી જૂથની કંપનીઓના સ્ટોકમાં તીવ્ર કડાકાથી રોકાણકારોના હિતો જાળવવા માટે એનએસઈએ અદાણી એન્ટરપ્રાીઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટને ટૂંકાગાળાની વધારાની સર્વેલન્સ હેઠળ મૂક્યા છે. જૂથની કંપનીઓમાં સટ્ટાખોરી અને શોર્ટ-સેલિંગ પર નિયંત્રણ મૂકવા આ પગલું લેવાયું છે.

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here